મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો ઇતિહાસ રચાયો છે. એનસીપી-કોંગ્રેસ અને શિવેસનાની ગઠબંધન સરકારમાં શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. મુંબઇના ઐતિહાસિક શિવાજી પાર્કમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ આયોજિત થયો જેમાં મુખ્યમંત્રી સિવાય 6 અન્ય મંત્રીઓને પણ શપથ અપાવ્યા. આ દરમિયાન ત્રણેય પક્ષના તમામ મોટા નેતા હાજર રહ્યા હતા.
1960થી 2019 સુધી મહારાષ્ટ્ર પર કોણે કોણે કર્યું રાજ?
ઉદ્ધવ ઠાકરે બાદ શિવસેનાના એકનાથ શિંદે, સુભાષ દેસાઇને મંત્રી પદના શપથ અપાવ્યા છે. ત્યાર બાદ એનસીપી કોટાથી ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલ અને છગન ભુજબળને શપથ અપાવવામાં આવ્યા છે. કોંગ્રેસના કોટાથી બાલા સાહેબ થોરાટને શપથ અપાવ્યા છે. થોરાટ મહારાષ્ટ્ર વિધાનસભાના સૌથી વરિષ્ઠ નેતામાંથી એક છે અને રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ છે. કોંગ્રેસના નિતિન રાઉતને પણ મંત્રી પદના શપથ અપાવ્યા છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પક્ષના 2-2 મંત્રીઓને શપથ અપાવ્યા છે. ત્યારે જાણો આ છ મંત્રીઓ કોણ છે? 1960થી 2019 સુધી મહારાષ્ટ્રમાં કોણ કોણ રહી ચૂક્યું છે મુખ્યમંત્રી...
સુભાષ દેસાઈ કોણ છે?
શિવસેનાના ક્વોટામાંથી મંત્રી થયા છે. તેઓ શિવસેનામાં મરાઠા નેતા છે. શિવસેના-ભાજપની સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા છે. ગોરેગાંવ વિધાનસભાથી ત્રણવાર ચૂંટાયા છે. 2009થી 2014 દરમિયાન શિવસેના વિધાનસભા પક્ષના નેતા રહ્યાં છે. શિવસેના-ભાજપ સરકારમાં મુંબઈના પ્રભારી મંત્રી રહી ચૂક્યા છે. બે વાર વિધાન પરિષદના સભ્ય રહ્યાં છે.
કોણ છે એકનાથ શિંદે?
શિવસેનાના ક્વોટામાંથી એકનાથ શિંદે મંત્રી થયા છે. 1997માં સૌથી પહેલા થાણે મહાનગરપાલિકામાં ચૂંટાયા હતા. થાણે વિસ્તારમાં એકનાથ શિંદે નેતા તરીકે મોટું નામ છે. થાણેની કોઈપણ ચૂંટણીમાં એકનાથ શિંદેનો ઉમેદવાર જ જીતે છે. ભાજપ-શિવસેનાની સરકારમાં જાહેર બાંધકામના મંત્રી હતા. થાણે જિલ્લાના પ્રભારી મંત્રી પણ હતા. 2004થી સતત ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એકનાથ શિંદેનો દીકરા કલ્યાણ બેઠકથી સાંસદ છે. હાલમાં શિવસેના વિધાનસભા પક્ષના એકનાથ શિંદે નેતા છે. 11મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો
અભ્યાસ છોડ્યા પછી રીક્ષા ચલાવતા હતા.
NCPના ક્વોટાથી મહાઅઘાડી સરકારમાં મંત્રી બન્યા છે. જયંત પાટીલ 6 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વિધાનસભા NCP પક્ષના નેતા તરીકે પસંદગી પામ્યા છે. અજિત પવારને હટાવીને જયંત પાટીલની પસંદગી કરવામાં આવી છે. ઈસ્લામપુર વાલવા બેઠક પરથી 6 વાર ચૂંટાયા છે. મહારાષ્ટ્ર પોલીસના આધુનિકીકરણમાં પાટીલની મહત્વની ભૂમિકા રહી છે. તેઓ મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રના જાણીતા નેતા રાજારામ પાટીલના દીકરા છે. તેઓ 1984માં પિતાના મૃત્યુ પછી રાજકારણમાં આવ્યા હતા. 1999થી 2008 વચ્ચે કોંગ્રેસ-NCP સરકારમાં નાણાં મંત્રી રહ્યાં હતા. મુંબઈ હુમલા પછી ગૃહ મંત્રીનો પદભાર પાટીલે સંભાળ્યો હતો.
છગન ભુજબળ NCPના ક્વોટામાંથી મંત્રી બન્યા છે. તેઓ મુંબઈના ભાયખલ્લામાં શાકભાજી વેચતા હતા. બાલાસાહેબના ભાષણોથી પ્રભાવિત થઈને રાજકારણમાં આવ્યા. 1985માં મુંબઈના મેયર તરીકે છગન ભુજબળ ચૂંટાયા છે. શિવસેનામાં મોટા નેતા તરીકે છગન ભુજબળની ગણતરી થતી હતી. 1991માં વિપક્ષના નેતા ન બનાવાતા શિવસેના છોડી છે. 9 ધારાસભ્યો સાથે છગન ભુજબળ કોંગ્રેસમાં 1991માં જોડાયા છે. શરદ પવાર જ ભુજબળને કોંગ્રેસમાં લાવ્યા હતા. 1999માં પવારે અલગ પાર્ટી બનાવી તો ભુજબળ NCPમાં જોડાઈ ગયા. કોંગ્રેસ-NCP સત્તામાં આવ્યા તો ભુજબળને ગૃહમંત્રી બનાવ્યા. એક સમયે બાલાસાહેબની ધરપકડ કરવાનો આદેશ ભુજબળે જ કરેલો. નાસિકના દ્રાક્ષાસવ ઉદ્યોગને દુનિયામાં ફેલાવાનું શ્રેય ભુજબળને છે. સ્ટેમ્પ પેપર કૌભાંડી અબ્દુલ કરીમ તેલગીએ ભુજબલ પર આરોપ લગાવેલા છે. 2004થી 2014 દરમિયાનના મંત્રી પદમાં મોટા આરોપો લાગ્યા છે. દિલ્હીમાં બનેલા મહારાષ્ટ્ર સદન કૌભાંડમાં ભુજબળની 2016માં ધરપકડ થઈ હતી. ભુજબળ પર મની લોંન્ડ્રીંગનો કેસ થયો અને જેલ પણ થઈ હતી. ભુજબળ 2 વર્ષ સુધી આર્થર રોડ જેલમાં રહ્યાં હતા. 2018માં ભુજબળને જામીન મળ્યા અને આ કેસ તેમના પર ચાલી રહ્યો છે. આર્થર જેલમાં અંડા સેલ ભુજબળે જ બનાવ્યો અને 2 વર્ષ પોતાને ત્યાં રહેવું પડ્યું.
બાલાસાહેબ થોરાટ કોંગ્રેસના ક્વોટામાંથી શપથ ગ્રહણ કરી રહ્યાં છે. થોરાટ સતત 8મી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 288માંથી એકમાત્ર ધારાસભ્ય જે 8 વાર ચૂંટાયા છે. મહારાષ્ટ્રમાં નિર્વિવાદ ખેડૂત નેતા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ પણ છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સહકારી નેતા તરીકે મોટું નામ છે. મહારાષ્ટ્રમાં દૂધમાં સહકારી ચળવળના લીડર રહ્યાં છે. રાજ્ય સહકારી બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. થોરાટે સંગમનેરમાં સહકારી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે. મહારાષ્ટ્રના ગામીણ મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસની સરકારમાં મહેસૂલ મંત્રી પણ રહી ચૂક્યા છે.
કોણ છે નીતિન રાઉત?
નીતિન રાઉત કોંગ્રેસના ક્વોટામાંથી મંત્રી બન્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસના SC સેલના ચેરમેન છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP સરકારમાં રોજગાર મંત્રી રહી ચૂક્યા છે. 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. નાગપુર ઉત્તર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. બાબાસાહેબના લખાણો અને ભાષણોનો ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. NGO સંકલ્પનું પણ સંચાલન કરે છે. દલિતો અને જરૂરિયાતમંદો માટે કામ કરતા નેતા છે.
કે.સી.પડવી કોંગ્રેસના ક્વોટામાંથી મંત્રી બન્યા છે. તેઓ વ્યવસાયે વકીલ છે અને આદિવાસી નેતા છે. હાલમાં આદિવાસી અનામત બેઠક અક્કાલકુવાથી ચૂંટાયા છે. ગુજરાત સાથે જોડાયેલા નંદુરબારના નેતા છે. નંદુરબારના આદિવાસીઓમાં પડવી સ્વચ્છ છબી ધરાવે છે. 2019માં નંદુરબાર લોકસભા બેઠક પરથી હારી ગયા હતા. અક્કાલકુવા નંદુરબારની જ વિધાનસભા બેઠક છે જ્યાંથી ચૂંટાયા છે.
1960થી 2019 સુધી મહારાષ્ટ્ર પર કોણે કોણે કર્યું રાજ?