વસંતદાદા ચીની સંસ્થાનને 51.33 હેક્ટરની જમીનની ફાળવણી કરવામાં આવી છે. જે જાલના જિલ્લેના પઠારવાલા ગામમાં છે. તે મૂળ રુપે રાજ્યનાં કૃષિ વિભાગ દ્વારા બીજ ફાર્મની સ્થાપના માટે આપવમાં આવી હતી. જોકે ઠાકરે સરકારે શરદ પવારને પાણીનાં ભાવે જમીન આપી છે. ત્યારે શું આ સરકારની મિલી ભગત છે?
વસંતદાદા ચીની સંસ્થાનને પાણીના ભાવે જમીની લહાણી
શું ઠાકરે સરકાર સહયોગી પાર્ટીને સાચવે છે
વસંતદાદા ચીની સંસ્થાનના અધ્યક્ષ શરદ પવાર છે
પાણીના ભાવે જમીન આપી દીધી
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે બુધવારે (05 ફેબ્રુઆરી) એનસીપી ચીફ શરદ પવારની અધ્યક્ષતા હેઠળની વસંતદાદા ચીની સંસ્થાનને બહુ જ નજીવી કિંમત પર 51 હેક્ટર સરકારી જમીન ફાળવી છે. જેની બજાર કિંમત 10 કરોડ છે. આ જમીન મરાઠાવાડાનાં જાલનામાં છે. સરકારે પવારની અધ્યક્ષતાવાળી આ સંસ્થાને ‘વિશેષ મામલે’તરીકે જમીન ફાળવી છે. આ ક્રમમાં ઠાકરે કેબિનેટે રાજસ્વ વિભાગ અને વિત્ત વિભાગની મુસ્કેલીઓ અને રાજયમાં મહાધિવક્તાની સલાહને નકારીને નિર્ણય કર્યો છે.
આ જમીન કૃષિ માટે ફાળવવામાં આવી હતી
51.33 હેક્ટરની જે જમીન વસંતદાદા ચીની સંસ્થાનને ફાળવવામાં આવી તે જાલના જિલ્લાના પઠારવાલા ગાંમમાં આવેલું છે. આ મુળ રુપે રાજ્યનાં કૃષિ વિભાગ દ્વારા બીજ ફાર્મની સ્થાપના માટે ફાળવવામાં આવી હતી. અધિકારીક પરિપત્રોમાં જણાવ્યાનુસાર મુલ્યાંકનકર્તાઓએ આ જમીનની બજાર કિંમત 9.99 કરોડ રુપિયા આંકી છે.
મોટી હસ્તીઓેએ એક પબ્લિક ટ્રસ્ટ બનાવ્યું છે
1975માં શુગર કોપરેટિવની મોટી હસ્તીઓેએ એક પબ્લિક ટ્રસ્ટ બનાવ્યું છે. તે ટ્રસ્ટનાં નામે પુના સ્થિત વસંતદાદા ચીની સંસ્થાનની ગણતરી ભારતનાં પ્રમુખ ચીની અનુસંધાન અને શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવે છે. શરદ પવાર આ સંસ્થાનનાં અધ્યક્ષ છે. જ્યારે રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજિત પવાર, ઉત્પાદન મંત્રી દિલીપ વાલસે પાટિલ, નાંણામંત્રી જયંત પાટિલ (એનસીપી), રાજસ્વ મંત્રી બાલાસાહેબ થોરાટ(કોંગ્રેસ) આ સંસ્થાનનાં ટ્ર્સ્ટી છે.
આ લોકો પણ છે સંસ્થાનમાં છે
આ ઉપરાંત બે અન્ય મંત્રી રાજેશ ટોપે (એનસીપી) અને સતેજ પાટિલ (કોંગ્રેસ) આના ગવર્નિંગ કાઉન્સિલમાં છે. વસંતદાદા ચીની સંસ્થાને ચીન સાથે અનુસંધાન કરવા માટે અને અન્ય શૈક્ષણિક ગતિવિધિયો માટે સરકાર પાસે જમીન માંગી હતી. એક અધિકારીક વિભાગે તર્ક કર્યો છે કે સત્તાનાં આધારે આ પ્રકારની ફાળવણી 1997માં ઉચ્ચ ન્યાયાલયના કહેવા પ્રમાણે યોગ્ય નથી. વિભાગમાં કોર્ટનાં સુચનને જણાવતાં કહ્યું છે કે વિશેષ સાર્વજનિક ઉદ્દેશ્યો માટે સરકાર દ્વારા અધિગ્રહિત જમીનનો ઉપયોગ પણ તે જ હેતું માટે કરવો જોઈએ.