મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે શુક્રવારે મુંબઇના આરેમાં મેટ્રો શેડનું કામ રોકવાનું એલાન કર્યું તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકારના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યો. અને કહ્યું કે તેની સૌથી વધારે અસર મુંબઇના લોકો પર પડશે.
ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે મુંબઇના આરેમાં મેટ્રો શેડનું કામ રોકવાનું એલાન કર્યું
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકારના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યો
રાજ્ય સરકાર મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓને લઇને ગંભીર નથી : દેવેન્દ્ર ફડણવીસ
મુખ્યમત્રી ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો શેડનું કામ રોકવાના નિર્ણય પર રાજ્યના પૂર્ણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિરાશા દર્શાવી. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશ છતા રાજ્ય સરકારે મેટ્રો શેડનું કામ રોકી દીધુ. આ દુર્ભાગ્યપૂર્ણ છે.
It’s unfortunate that State Government stayed Aarey Metro CarShed work in spite of Hon Supreme Court & Hon High Court orders.
This shows State Government is not serious about Mumbai Infrastructure projects!
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ બતાવે છે કે રાજ્ય સરકાર મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓને લઇને ગંભીર નથી. તેની સૌથી વધારે અસર મુંબઇના લોકો પર પડશે.
નોંધનીય છે કે કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મુંબઇના આરેમાં મેટ્રો શેડનું કામ રોકી દેવામાં આવ્યું છે. જોકે, મેટ્રો લાઇનનું કામ ચાલુ રહેશે. તેઓએ કહ્યું કે, મેં આરે મેટ્રો કાર પ્રોજેક્ટનું કામ રોકવાનો આદેશ આપ્યો છે. પરંતુ મેટ્રોનું કામ બંધ નહીં થાય. પરંતુ આગળથી આરેનું એક પત્તુ પણ હવે કાપવામાં આવશે નહીં.