મહારાષ્ટ્ર સરકારને આવતીકાલે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના રાજ્યપાલે આપેલા આદેશ વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જે માન્ય રખાઈ છે અને આજે સાંજે તેના પર સુનાવણી પણ થશે.
મહારાષ્ટ્રમાં આવતીકાલે ઉદ્ધવ સરકારની અગ્નિપરીક્ષા
રાજ્યપાલે આપ્યો મોટો આદેશ
રાજ્યપાલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ગઈ શિવસેના
મહારાષ્ટ્રમાં કેટલાય દિવસથી ચાલી રહેલા દંગલ વચ્ચે આખરે આવતીકાલે ઉદ્ધવ સરકારને અગ્નિપરીક્ષા આપવી પડશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં સવારે 11 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ થશે, જેમાં ઉદ્ધવની મહાવિકાસ અઘાડી સરકારને બહુમત સાબિત કરવો પડશે, જે હાલમાં મુશ્કેલ જણાવી રહ્યું છે.
એટલા માટે શિવસેનાએ સ્પષ્ટ કર્યું છે કે, ફ્લોર ટેસ્ટની માગ વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જ્યાં તેમની અરજી સ્વિકારી લેવામાં આવી છે અને આજે સાંજે તેના પર સુનાવણી પણ થશે. રાઉતે ફ્લોર ટેસ્ટની માગને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે, ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો મામલો હજૂ પેન્ડીંગ છે.
We will go to the Supreme Court (against the Maharashtra Governor’s decision to call for a floor test). This is an unlawful activity as the matter of disqualification of our 16 MLAs is pending in SC. The Governor was waiting for this moment only: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/nnqBLBPFqD
સંજય રાઉતે કહ્યું છે કે, ભાજપ અને રાજ્યપાલ મળીને સંવિધાન સાથે રમત રમી રહ્યા છે. અમે લોકો સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ન્યાયની માગ કરીશું.
રાજ્યપાલે આપ્યો ફ્લોર ટેસ્ટનો આદેશ
બીજી બાજૂ આજે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવા માટે રાજ્યપાલે કેટલીય મહત્વની વાતોનો ઉલ્લેખ કર્યો છે. સ્પષ્ટ લખ્યું છે કે, આ સત્રનો એકમાત્ર એજન્ડા સરકારની શક્તિપરીક્ષણ કરવાનો રહેશે અને તેને કોઈ પણભોગે સ્થગિત કરી શકાશે નહીં.