દેશ પર કોરોના વાયરસનું સંકટ સતત વધતુ જઇ રહ્યું છે. આનું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. આ પરિસ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ચાલી રહેલ લૉકડાઉનની સમય મર્યાદા વધી શકે છે. ત્યારે, બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર પણ જોખમ ચાલી રહ્યું છે. તેઓ હાલમાં રાજ્યના કોઇ પણ ભવનના સભ્ય નથી. એટલે તેઓ ન તો ધારાસભ્ય છે અને ન તો વિધાન પરિષદના સભ્ય છે. કોરોના સંકટના કારણે રાજ્યમાં થનારી વિધાન પરિષદની ચૂંટણીને ટાળી દેવામાં આવી છે. ત્યારે 28 મે પહેલા તેમને કોઇ સદનનું સભ્ય બનવું જરૂરી છે.
કોરોના વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું પદ જોખમમાં
આપવું પડી શકે છે રાજીનામું
રાજ્યપાલના હાથમાં નિર્ણય
શું કહે છે કાયદો?
ઉદ્ધવ ઠાકરેએ ગત વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બંધારણીય કલમ 164(4) અનુસાર ઠાકરેને છ મહિનાની અંદર કોઇ સદનનું સભ્ય હોવું જરૂરી છે. હાલમાં ઠાકરે કોઇ પણ સદનના સભ્ય નથી. તેમણે મળેલી છ મહિના છૂટ 28 મેના રોજ પૂર્ણ થવા જઇ રહી છે. તેવામાં તેમણે 28 મેર પહેલા કોઇ પણ સદનનો સભ્ય બનવું જરૂરી છે.
શું છે સમસ્યા?
ધારાસભ્યોના કોટાથી નવ વિધાન પરિષદની બેઠકો 24 એપ્રિલે ખાલી થઇ રહ્યું છે અને દ્વિવાર્ષિક ચૂંટણી દરમિયાન ઠાકરેને એમએલસીના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કોઇ બેઠકથી ચૂંટણી લડવાના હતા. જોકે કોરોના વાયરસ મહામારી અને પૂર્ણ દેશબંધીને ધ્યાને રાખતા ચૂંટણી પંચે ચૂંટણી ટાળી દીધી છે.
શું છે વિકલ્પ?
મહારાષ્ટ્ર મંત્રિમંડળે ગુરૂવારે રાજ્યપાલના કોટાથી રાજ્ય વિધાન પરિષદના સભ્ય રૂપમાં ઠાકરેનું નામાંકન કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્યપાલ કોટાથી પરિષદમાં બે બેઠક ખાલી છે કારણ કે બે એમએસલીને ગત વર્ષ ઓક્ટોબરમાં વિધાનસભા પહેલા ભાજપમાં સામેલ થવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. આ બન્ને ખાલી બેઠકોની સમયમર્યાદા જૂન મધ્ય સુધી છે.
આ પ્રકારે બચી શકે છે ઉદ્ધવની બેઠક
જો રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી મંત્રીમંડળની અરજી માનીને સરકાર દ્વારા મોકલવામાં આવેલ નામ પર સહમતિ થાય છે તો ઠાકરેની ખુરશી બચી શકે છે. ઠાકરેની પાસસે બીજો વિકલ્પ એ છે કે પોતાના છ મહિનાની અવધિ પૂરી થતા પહેલા મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી શકે છે. ત્યારબાદ તેઓ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શકે છે. જેનાથી તેમને છ મહિનાનો વધુ સમય મળી શકે છે. જોકે તેમાં એક પેંચ એ પણ છે કે જો તેઓ રાજીનામું આપે છે તો આ આખા મંત્રીમંડળનું રાજીનામું માની શકાય છે અને પછી સમગ્ર મંત્રીમંડળને ફરી વખત શપથ લેવી પડશે.
પાટિલે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે ઉદ્ધવ અત્યાર સુધી વિધાનસભા સભ્ય બનવા ત્રણ અવસર મળે, પરંતુ તેમને મોકો ગુમાવી દિધો. જોકે, જે બે બેઠકો ખાલી હોવાની વાત કહેવામાં આવી રહી છે તેનો કાર્યકાળ હજુ 6 જૂન 2020 સુધી છે. જનપ્રતિનિધિ અધિનિયમ 1951 હેઠળ ભવનમાં ખાલી સ્થાન ભરવાનો નિયમ છે, પરંતુ અધિનિયમની કલમ 151 એના ઉપનિયમ (એ) રરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો એક વર્ષથી ઓછી સમયમર્યાદા છે તો ખાલી બેઠક માટે પેટાચૂંટણી ન કરાવી શકાય.
તેવામાં બે મહિનાના કાર્યકાળ પૂર્ણ થતા જ કોઇ પણ નિમણૂંક કરવી બંધારણની મૂળભાવના વિરૂદ્ધ છે. ત્રણ મહિના પહેલા રાજ્યપાલની પાસે એનસીપીના બે લોકોની નિમણૂંકનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યપાલે આ નિયમોના આધાર પર પ્રસ્તાવ પરત મોકલી દીધો હતો.
રાજ્યપાલના વિવેક પર નિર્ભર
મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ પ્રધાન સચિવ અનંત કલસેનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરેને એમએસલી નિમણૂંક કરવામાં કાયદાકિય પેચ તો છે જ. પરંતુ આ સમગ્ર રીતે રાજ્યપાલના વિવેક પર નિર્ભર છે. જો રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને વિધાનસભાના સભ્ય બનાવ્યા તો કેટલા સમય મળી જશે. કારણ કે આમાં બે વસ્તુ છે. એક તો કેટલાક લોકો કહે છે કે ઉદ્ધવ ઠાકરેને 6 વર્ષની ટર્મ મળી શકે છે.
નહીં તો મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જ પડશે
તો કેટલાક લોકોનું કહેવું છે કે તેમને 6 જૂન સુધીનો જ કાર્યકાળ નહી મળી શકે. છતા પણ 6 જૂન 2020 સુધી જ ઠીક જો ઉદ્ધવ ઠાકરે ત્યાં સુધી માટે એમએલસી બની ગયા તો ત્યાર બાદ બીજો વિકલ્પ અપનાવી શકે છે. ત્યારે કદાચ કોરોના વાયરસ પણ ચાલ્યો જશે. હાલ તો કોઇપણ સંજોગોમાં ઉદ્ધવ ઠાકરે માટે વિધાનમંડળને કોઇ પણ સદનનું સભ્ય બનવું જરૂરી છે. નહીં તો મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જ પડશે.