ખેતી, સિંચાઈ, ગ્રામીણ વિકાસ આ એવા વિભાગો છે જેનો સીધો સંબંધ ગામ સાથે હોય છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ આ વિભાગો પોતાની પાર્ટીને એટલે કે શિવસેનાને આપ્યા છે. અન્ય કેટલાક વિભાગો NCPને આપ્યા છે. કૃષિ મંત્રાલય શિવસેનાએ પોતાની પાસે રાખ્યું છે. આવું ત્યારે કરવામાં આવ્યું જ્યારે કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો ગ્રામીણ વિસ્તારમાંથી જીતીને આવ્યા છે.
NCP નેતા અજિત પવાર હશે નાણાં મંત્રી
NCP નેતા અનિલ દેશમુખ હશે ગૃહમંત્રી
શિવસેના જોશે કૃષિ મંત્રાલય
મહારાષ્ટ્રમાં 30 ડિસેમ્બરે કેબિનેટ વિસ્તારના 6 દિવસ બાદ મહાવિકાસ અઘાડીના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓના વિભાગ વહેંચી દીધા છે. તેમાં ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટ નેતા અજિત પવારને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. NCPના અન્ય એક નેતા અનિલ દેશમુખને ગૃહમંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે NCPને અનેક મલાઈદાર મંત્રાલયો આપવામાં આવ્યા છે. જેમાં નાણાં, સિંચાઈ, ગ્રામીણ વિકાસ, હાઉસિંગ. એક્સાઈઝ અને સહકારી (કોઓપરેટિવ) જેવા મંત્રાલયો સામેલ છે.
ગામ-ઘરથી દૂર કોંગ્રેસ
આ સમયે કોંગ્રેસને કોઈ એવું વિભાગ નથી મળ્યું જેનાથી તે ગામ કે ઘર સાથે જોડાયેલું રહે. કૃષિ, સિંચાઈ, ગ્રામીણ વિકાસ એવા વિભાગો છે જેનો ગ્રામીણ લોકો સાથે સીધો સંબંધ છે. આ તમામ વિભાગો શિવસેનાએ પોતાની પાસે રાખ્યા છે. અન્ય કેટલાક મહત્વના વિભાગો એનસીપીને આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો ગ્રામીણ વિસ્તારથી જીતીને આવ્યા હોવા છતાં તેને પહેલાંથી જ આ પ્રકારના કોઈ વિભાગ સોંપવામાં આવ્યા નથી.
બીએમસી પર સેનાની નજર
શિવસેનાના આદિત્ય ઠાકરેને પર્યાવરણ અને પર્યટન વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે એકનાથ શિંદેને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈ ઉદ્યોગ મંત્રાલય સંભાળશે. કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ નવા રાજસ્વ મંત્રી હશે અને નીતિન રાઉત ઉર્જા વિભાગ સંભાળશે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને લોક નિર્માણ વિભાગ આપવામાં આવ્યું છે. વિભાગ વહેંચણીમાં શિવસેનાએ પોતાની શહેરી ઈમેજ બનાવી રાખી છે અને શહેરી વિકાસ મંત્રાલય પોતાના ભાગમાં રાખ્યું છે.
આ મંત્રાલય બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) માટે ખૂબ મહત્વનું છે કારણ કે તે મુંબઈ ચલાવવાની જવાબદારી છે. બીએમસી અથવા અન્ય નિગમોની ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે, જેમાં શહેરી વિકાસ મંત્રાલય મહત્વની ભૂમિકા ભજવશે. આદિત્ય ઠાકરેની પસંદગી પર્યાવરણ, પર્યટન અને પ્રોટોકોલ મંત્રાલય છે તેથી તેમને આ મંત્રાલયો ફાળવવામાં આવ્યા છે.
દેશમુખને ગૃહ, પવારે શું આપ્યો સંકેત
મંત્રાલયે એ પણ ખુલાસો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ ઓછામાં ઓછા પોર્ટોફોલિઓ પોતાની પાસે રાખ્યા છે. તેમની પાસે સામાન્ય વહીવટ, કાયદો અને ન્યાયતંત્ર, માહિતી અને જનસંપર્ક જેવા વિભાગો છે. સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરેએ તેમના વરિષ્ઠ પ્રધાનો સુભાષ દેસાઇ અને એકનાથ શિંદે પર વધુ વિશ્વાસ બતાવ્યો છે. તે બંને શિવસેનાના સૌથી મહત્વપૂર્ણ મંત્રાલયો તરીકે ઉદ્યોગો અને શહેરી વિકાસ ધરાવે છે. શરદ પવારે ભત્રીજા અજિત પવાર અને વરિષ્ઠ નેતા છગન ભુજબલને ગૃહ મંત્રાલય નહીં આપીને અનિલ દેશમુખને હવાલે કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્પષ્ટ છે કે પવાર ગૃહ વિભાગને વિવાદોથી દૂર રાખવા માગે છે. અનિલ દેશમુખ શરદ પવાર અને સુપ્રિયા સુલેની ખૂબ નજીકની ગણાય છે.