મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NCP અને શિવેસનાના ગઠબંધનના નેતાઓને પૂર્ણ વિશ્વાસ છે કે તેમની સરકાર ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં વિધાનસભામાં બહુમતિ સાબિત કરી દેશે. તેની સાથે જ રવિવારે વિધાનસભા સ્પીકરની પણ ચૂંટણી થવાની છે. હવે આ ચૂંટણીને લઇને પણ મામલામાં થોડો ટ્વિસ્ટ આવી શકે છે.
જોકે આજે થનાર બહુમતિ પરીક્ષણ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં થશે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે આ પ્રક્રિયામાં સીક્રેટ બેલેટ એટલે કે ગુપ્ત મતદાનનો ઉપયોગ નહીં કરવામાં આવે. પરંતુ વિધાનસભા ચૂંટણી અધ્યક્ષની ચૂંટણીને લઇને સુપ્રીમ કોર્ટ તરફથી એવો કોઇ આદેશ નથી. નિયમ એવું કહે છે કે વિધાનસભા સ્પીકરની ચૂંટણીમાં ગુપ્ત મતદાન થવું જોઇએ.
ભાજપને શંકા છે કે સ્પીકરની ચૂંટણી સરકાર ખુલ્લામાં કરાવી શકે છે જ્યારે નિયમ ગુપ્ત મતદાનનો છે. જોકે ગુપ્ત મતદાનથી ક્રોસ વોટિંગ થઇ શકે છે એટલે ધારાસભ્યો બીજા પક્ષ તરફ મત નાખી શકે છે. જ્યારે ભાજપનું કહેવું છે કે ગુપ્ત મતદાન ન કરાવીને નવી સરકાર નિયમોને તોડી રહી છે અને ભાજપ રાજ્યપાલને ફરિયાદ કરવા જઇ રહી છે. પાટિલે એ પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં પણ આના વિરૂદ્ધ અપીલ કરી શકાય છે.
શું છે ગઠબંધનનું ગણિત
શિવસેનાઃ 56+8 = 64
એનસીપી: 53 (1 પ્રોટેમ સ્પીકર)
કોંગ્રેસ: 44
બીવીએ: 3
એસપીઃ 2
સ્વાભિમાની શેતકરીઃ 1
પીડબ્લ્યૂ પીઃ 1
સીપીઆઇએમઃ 1
એમએનએસઃ 1
કુલઃ 170
શું ઇચ્છે છે ભાજપ?
ભાજપ ઇચ્છે છે કે પહેલા સ્પીકર ચૂંટણી કરાવે પછી ફ્લોર ટેસ્ટ થાય. પરંતુ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપતા પ્રોટેમ સ્પીકર દ્વારા જ ફ્લોર ટેસ્ટ કરવા જઇ રહી છે. ભાજપ ઇચ્છે છે કે ગુપ્ત મતદાન થાય.
કોણ છે સ્પીકર પદના ઉમેદવાર
કોંગ્રેસ તરફથી નાના પટોલેને સ્પીકર પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પહેલા આના માટે પૃથ્વીરાજ ચવ્હાણનું નામ ચાલી રહ્યું હતું. ત્યારે ભાજપ તરફથી કિશન કઠોરેના નામનું એલાન કરવામાં આવ્યું છે. શિવસેના નેતા એકનાથ શિંદેનું કહેવું છે કે તેઓ કોઇ પણ અરજીથી નથી ડરતા. તેમણે બાલા સાહેબ ઠાકરના આશીર્વાદથી શપથ લીધા છે.