દૂર્ઘટના / મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સુતા પ્રવાસી કચડાયાં, 16 શ્રમિકોનાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Maharashtra Train runs over a dozen migrant workers

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક હૃદય હચમચાવી નાંખનાર ઘટના સામે આવી છે. અહીં રેલ્વેના પાટા પર પ્રવાસી શ્રમિકોને એક માલગાડીએ કચડી નાંખ્યાં છે. ઔરંગાબાદમાં જાલના રેલવે લાઇન પાસેના દૂર્ઘટના ઘટી છે, જેમાં 16 શ્રમિકોના મોત થયા છે. આ દૂર્ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર સવારે 6.30 કલાકની આસપાસ ઘટી છે. ઔરંગાબાદ રેલ દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ