મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક હૃદય હચમચાવી નાંખનાર ઘટના સામે આવી છે. અહીં રેલ્વેના પાટા પર પ્રવાસી શ્રમિકોને એક માલગાડીએ કચડી નાંખ્યાં છે. ઔરંગાબાદમાં જાલના રેલવે લાઇન પાસેના દૂર્ઘટના ઘટી છે, જેમાં 16 શ્રમિકોના મોત થયા છે. આ દૂર્ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર સવારે 6.30 કલાકની આસપાસ ઘટી છે. ઔરંગાબાદ રેલ દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સુતા પ્રવાસી કચડાયા
રેલવે ટ્રેક પર સુઈ રહેલા લોકો પર ફરી વળી ટ્રેન
15 પ્રવાસી સુઈ રહ્યા હતા તે સમયે માલગાડી પસાર થઈ
પ્રવાસી પરથી ટ્રેન પસાર થતા 15 શ્રમિકના મૃત્યુ
મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 15 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
ઔરંગાબાદ રેલ દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આ દૂર્ઘટનાને લઇને રેલવે પ્રધાન પિયુષ ગોયલ સાથે વાત કરી. દૂર્ઘટનાને લઇને તમામ પ્રકારની સહાયતા પહોંચાડાને લઇને પીએમ મોદીએ વાત કરી.
Extremely anguished by the loss of lives due to the rail accident in Aurangabad, Maharashtra. Have spoken to Railway Minister Shri Piyush Goyal and he is closely monitoring the situation. All possible assistance required is being provided.
આ બધા પ્રવાસીઓ પોતાના ઘરે છત્તીસગઢ પગપાળા જઇ રહ્યાં હતા અને આરામ કરવા માટે પાટા પાસે રોકાયા હતા. આ દૂર્ઘટના બાદ સ્થાનિક તંત્ર અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
કોરોના વાયરસના કારણે લોકડાઉનના કારણે દેશમાં પરપ્રાંતિય શ્રમિકો ફસાયાં છે. દેશમાં ઘણી બધી જગ્યાએ શ્રમિકો પોતાના વતન જવા માટે પગપાળાં નીકળી રહ્યાં હતા. એવાં રાતે રોકવા માટે ઘણા શ્રમિકોએ રેલવે ટ્રેકનો રસ્તો અપનાવ્યો.
દક્ષિણ સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિકેશન ઓફિસરે કહ્યું છે કે ઔરંગાબાદમાં કર્માડ પાસે આ દૂર્ઘટના ઘટી છે, જ્યાં માલગાડીનો એક ખાલી ડબ્બાએ કેટલાંક સુતેલા લોકોને કચડી નાંખ્યાં છે.
An accident happened near Karmad, Aurangabad when an empty rake of goods wagon ran over some people. RPF and local police are reaching spot to asses the situation. More details awaited: Chief Public Relations Officer (CPRO) of South Central Railway (SCR) #Maharashtra