કેન્દ્ર સરકારે હવે લૉકડાઉનમાં ફંસાયેલા લોકોને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવા માટે ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ માટે નિકળેલી સ્પેશિયલ ટ્રેન 2 મેના રોજ સવારે ભોપાલ પહોંચી. આ ટ્રેનમાં 347 લોકો સવાર હતા. તેવામાં મહારાષ્ટ્રમાં કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા છે. ત્યારે જાણો મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે શું કરવાનું રહેશે.
મહારાષ્ટ્રમાં ફસાયા છે ગુજરાતીઓ
મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે અરજી કરો
ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી
લૉકડાઉનને આગળ વધારવાની જાહેરાત સાથે જ સરકારોએ મજૂરોની ઘરવાપસી શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારેdigitalgujarat.gov.inપોર્ટલ તૈયાર કર્યું છે. જેમાં ગુજરાત બહાર જવા માટે ઓનલાઇન અરજી કરી પાસ મેળવી શકાશે. ત્યારે મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પોર્ટલ covid19.mhpolice.inતૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રજિસ્ટ્રેશન કરીને જરૂરી માહિતી ભરીને પાસ મેળવી શકાશે.
કેવી રીતે કરી શકશે અરજી?
સૌપ્રથમ https://covid19.mhpolice.in/registration પોર્ટલ પર જાઓ. જેમાં જિલ્લા પોલીસ સ્ટેશન, નામ, પ્રવાસની તારીખ, મોબાઇલ નંબર, પ્રવાસનું કારણ, વાહનનું નામ અને વાહનનો નંબર, હાલનું સરનામું, ઇમેઇલ, કયા સ્થળેથી ક્યા સ્થળે જવાનું છે, કેટલા લોકોને જવાનું છે, વતનનું સરનામું અને શું તમે આ રૂટ પર ફરી આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? આ તમામ માહિતી આપવાની રહેશે. સાથે એક ફોટો પણ અપલોડ કરવાનો રહેશે.
મહત્વનું છે કે, IPS અધિકારી હસુમખ પટેલે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, જો મહારાષ્ટ્રથી ગુજરાત આવવું છે તો અહીં ઑનલાઈન રજિસ્ટ્રેશ કરો. https://covid19.mhpolice.in/registration. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પાસ ગુજરાતમાં અને ગુજરાતના પાસ મહારાષ્ટ્રમાં સ્વીકારવામાં આવશે એટલા માટે તમે જ્યાંથી પ્રવાસ શરૂ કરી રહ્યા છો તે જિલ્લામાં તમારે ઓનલાઇન એપ્લીકેશન કરવી પડશે. જ્યાં તમે પહોંચી રહ્યા છો એટલે જવા માંગો છે તે જિલ્લાનો પાસ લેવાની જરૂર નહીં રહે.
મહત્વનું છે કે, ગુજરાતી વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, તીર્થયાત્રીઓ અને શ્રમિકો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે. તેવામાં જો મહારાષ્ટ્રથી ગુજરાત આવવું હોય તો આ વેબપોર્ટલ પર અરજી કરી પાસ મેળવી શકાશે.
બીજા રાજ્યોમાંથી ગુજરાત આવવા માટે અહીં અરજી કરો
મહારાષ્ટ્ર થી ગુજરાત આવવા માટે નીચે દર્શાવેલ લિંક પર ઓનલાઇન એપ્લિકેશન કરો..
શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે ગૃહ મંત્રાલયે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અનુસાર પ્રવાસી મજૂરો, પ્રવાસીઓ, તીર્થયાત્રીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્થળો પર લઇ જવા માટે 1 મે મજૂર દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પર શ્રમિક સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રથી બીજા રાજ્યોના ફંસાયેલા લોકોને લઇને આ ટ્રેન નિકળી.