અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મુંબઈથી સુરત જઈ રહેલા 3 લોકોને ભીડે ચોર સમજીને ઢોર માર મારી હત્યા કરી નાંખી હતી. આ ઘટના પાલઘર જિલ્લાના કાલા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી કેટલાક લોકોની ધરપકડ કરી છે.
સુરત અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહ્યા હતા
મુંબઈથી સુરત આવી રહ્યા હતા
ટોળાએ ચોર સમજી ઢોર માર માર્યો
પાલઘર જિલ્લાના કાસા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સપેક્ટર આનંદરાવ કાલેએ જણાવ્યું કે મારનારા લોકો મુંબઈના કાંદિવલી વિસ્તારના રહેનારા હતા. જેમના નામ સુશીલ ગિરી, કલ્પવૃક્ષ ગિરી અને ચિકને મહારાજ હતું. આ ત્રણેય પરિવારના એક સભ્યના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તેઓ મુંબઈથી સુરત જવા માટે નિકળ્યા હતા.
પરંતુ ગુરુવારે મોડી રાતે તેમને કોઈ વાહન ન મળતા સ્થાનિક લોકોએ ગડચિંચાલેની પાસે ઢાબાડી- ખાનવેલ રોડ પર તેમને રોકી દીધા હતા. તેમને કારની બહાર કાઢવામાં આવ્યા તેમજ ગામજનોએ તેઓ ચોર હોવાની શંકા રાખીને તેમના પર પત્થર અને લાકડી વડે હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ ઘટનાની ફરિયાદ નોંધી છે. તેમજ કેટલાક લોકોની ધરપકડ કરી છે. તેમજ હત્યારાઓની ઓળખ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.