મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના શિરાલા વિસ્તારમાં એક આખો પરિવાર કોરોનાના કારણે ખતમ થઈ ગયો
કોરોનાએ આખા પરિવારનો લીધો ભોગ
કોરોનાના કારણે 13 કલાકમાં પરિવારના ત્રણ લોકોના મોત
મહારાષ્ટ્રથી સામે આવ્યો એક રૂવાડા ઉભા કરી નાખે તેવો કિસ્સો
કોરોનાના કારણે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આવું જ કંઈક મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લામાં પણ થયું છે. જ્યાં ફક્ત 13 કલાકમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થઈ ગયા. તેની સાથે જ એક આખા પરિવારને કોરોના ભરખી ગયો છે. આખો પરિવાર કોરોનાના કારણે ખતમ થઈ ગયો છે.
મુંબઈમાં રહેતો દિકરો ગામે પરત ફર્યો હતો અને થયું મોત
માતા-પિતાની હેલ્થ જોવા માટે તેમનો દિકરો જે એક સોફ્ટવેર એન્જીન્યર હતો. તે મુબઈમાંથી પોતાના ગામ આવ્યો હતો. દુરભાગ્યથી તે પણ કોરોના સંક્રમિત થઈ ગયો અને તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ તેના માતા-પિતાએ જીવ ગુમાવી દીધો છે. માતા-પિતાનું મોત પાંચ કલાકની અંદર થઈ ગયું. ત્યાર બાદ સોફ્ટવેર એન્જીન્યર દિકરો પણ જીવની જંગ હારી ગયો. આ રીતે આખો પરિવારે 13 કલાકની અંદર જ કોરોનામાં જીવ ગુમાવી દીધો.
પાછલા 24 કલાકમાં 738 લોકોના મોત
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે પાછલા ચોવીસ કલાકમાં 738 લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,911 નવા મામલા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 54,97,448એ પહોંચી ગઈ છે.
મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 1425 નવા કેસ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના 85,355 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો વાત મુંબઈની કરવામાં આવે તો મુંબઈમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1425 નવા કેસ સામે આવ્યા છે અને વધુ 59 દર્દીઓના મોત થયા છે.