મહારાષ્ટ્રમાં જાલના મંદિરની આસપાસ રહેનારા 55 લોકો કોરોના સંક્રમિત થતાં પ્રસિદ્ધ મંદિર બંધ કરાયું છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ
એકસાથે 55 કેસ આવતા ખળભળાટ
જાલનાનું મંદિર કરાયું બંધ
મંદિરના જિલ્લામાં અને આખા મહારાષ્ટ્ર રાજ્યથી શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં રોકાય છે. મંદિરની આસપાસ રહેનારા 55 લોકો કોરોના વાયરસ સંક્રમિત થયા છે. આ પછી મંદિરને બંધ કરી દેવાયું છે.
મહારાષ્ટ્રના જાલનાના પ્રશાસને અસ્થાયી રીતે એક મંદિરને બંધ કર્યું છે અને તેનું કારણ એ છે કે મંદિરની આસપાસ રહેતા 55 લોકો કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા છે. અધિકારીએ રવિવારે કહ્યું કે જયવાડીના મંદિરનું નામ જાલીચા દેવ છે. આ મહાનુભાવ હિંદુ પંથના અનુયાયીઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે.
महाराष्ट्र स्वास्थ्य विभाग के अनुसार प्रदेश में पिछले 24 घंटे में #COVID19 के 6,971 मामले सामने आए। 2,417 लोग डिस्चार्ज हुए और 35 लोगों की मृत्यु हुई।
જિલ્લા પ્રશાસન અધિકારીએ કહ્યું કે મંદિરના જિલ્લામાં અને મહારાષ્ટ્રમાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં રોકાય પણ છે. મંદિરની આસપાસના 55 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ પછી મંદિરે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ગામવાસીઓ અને મંદિરની સમિતિના સભ્યોની તપાસ કરવા માટે સ્વાસ્થ્ય સમિતિની ટીમ પણ તૈયાર કરાઈ છે.
મહારાષ્ટ્રમાં આ આયોજનો પર લાગી રોક
મહારાષ્ટ્રમાં સંક્રમણની બીજી લહેરની આશંકાની વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનની વાત કરી છે. રવિવારે મુખ્યમંત્રીએ કહ્યું કે સ્થિતિ બગડી તો ફરીથી લોકડાઉન કરીશું. આ સાથે મંગળવારથી રાજકીય, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પર પણ રોક લગાવી છે.
મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં લોકડાઉન લાગૂ
મળતી માહિતી અનુસાર છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યા વધી રહી છે. કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને એમપીમાં કેસ વધી રહ્યા છે અને અહીં કડક નિયમો લાગૂ કરાયા છે તો યવતમાલ, અકોલામાં લોકડાઉન લાગૂ કરાયું છે.