મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર ચાર દિવસમાં જ તુટી પડી. મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદથી રાજીનામુ આપ્યું છે. ત્યારે ત્રણેય પાર્ટીઓ ( શિવસેના, એનસીપી, કોંગ્રેસ ) ના ધારાસભ્ય, એનસીપી ચીફ શરદ પવાર, અને ઉદ્ધવ ઠાકરે મુંબઇની હોટલ ટ્રાઇડેન્ટ પહોંચ્યા હતા. ત્યારે ત્રણેય પાર્ટીઓની સંયુક્ત બેઠક શરૂ થઇ છે. જેમા ઉદ્ધવ ઠાકરે સર્વાનુમતે ગઠબંધનના નેતા ચૂંટાયા હતા.
ઉદ્ધવ ઠાકરે ચૂંટવામાં આવ્યા મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતા
શરદ પવારે કહ્યું, રાજ્યમાં બદલાવની જરૂર હતી
ત્યારે બીજી તરફ રાજ્યપાલે બુધવારે સવારે 8 વાગ્યે વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. જ્યારે પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકર કાલે ધારાસભ્યોને શપથ અપાવશે.
મોટા ભાઇને મળવા દિલ્હી જઇશ : શિવસેનાના પ્રમુખ
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મારા હિન્દુત્વમાં જુઠ્ઠાણું નથી. બીજેપીએ અમારી મિત્રતા તોડી છે. પરંતુ હું મોટાભાઇને મળવા દિલ્હી જઇશ. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જે 30 વર્ષથી સાથે હતા, તેમણે વિશ્વાસ ન કર્યો. બાલાસાહેબ ઠાકરે કહેતા હતા કે જેને એકવાર વચન આપ્યું તો પાછળ ન હટવું. અમે આ મહારાષ્ટ્રને એક વાર ફરી મહારાષ્ટ્ર બનાવી દઇશું. જેવુ છત્રપતિ શિવાજી મહારાજે સપનુ જોયું હતું. તેઓએ કહ્યું કે ખેડુતોનો મુદ્દો મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.
આ હશે ગઠબંધનનું નામ
કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધનનું નામ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી હશે. બેઠકમાં ત્રણેય દળના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેના નામના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે રાજ્યમાં બદલાવની જરૂર હતી. ગઠબંધનના ત્રણેય પ્રતિનિધિ આજે રાજ્યપાલને મળશે. ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ 1 ડિસેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી. શપથ ગ્રહણ સમારોહ શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવશે.
20 વર્ષ માટે ગઠબંધન
એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું કે આ ગઠબંધન શિવાજીના આદર્શોને માને છે. આ ગઠબંધન માત્ર પાંચ વર્ષ માટે નહીં પરંતુ 20 વર્ષો માટે છે. રાજુ શેટ્ટી અને સમાજવાદી પાર્ટી નેતા અબુ આઝમીએ ઉદ્ધવ ઠાકરેના નામના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
NCP Chief Sharad Pawar: Three representatives of 'Maha Vikas Aghadi' will meet the Governor today. Swearing in ceremony to be held at Shivaji Park, Mumbai on 1st December. pic.twitter.com/GihQmlzQTy
મુંબઇની ટ્રાઇડેન્ટ હોટલમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર તથા પ્રફુલ્લ પટેલ બેઠકમાં પહોંચ્યા. એનસીપી ઉપરાંત કોંગ્રેસના નેતા અશોક ચૌહાણ બેઠકમાં પહોંચ્યા. જ્યારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રશ્મિ ઠાકરે, અને આદિત્ય ઠાકરે પણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા. ત્યારે આ બેઠકમાં ભાગ લેવા માટે ત્રણેય પાર્ટી એનસીપી, શિવસેના અને કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા છે.
એવા પણ સમાચાર મળી રહ્યા છે કે શિવસેના આ શપથ ગ્રહણમાં વિપક્ષના ઘણા નેતાઓને બોલાવી શકે છે. મહારાષ્ટ્રના હવે પછીના સીએમ ઉદ્ધવ ઠાકરેનો શપથ ગ્રહણ સમારોહ 1 ડિસેમ્બરના બદલે 28 નવેમ્બરના રોજ રાખવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, આ પહેલા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત કરીને પોતાના પદેથી રાજીનામુ આપ્યું અને રાજ્યમાં રાજનૈતિક સંકટ માટે શિવસેનાને જવાબદાર ગણાવી.
આ પ્રકારે હશે ગઠબંધન સરકાર
ત્યારે સૂત્રોનો દાવો છે કે, શિવસેના-NCP-કોંગ્રેસની સરકારમાં બે ડેપ્યુટી સીએમ બનાવામાં આવશે. એક ડેપ્યુટી સીએમ કોંગ્રેસના હશે અને અને બીજા સીએમ એનસીપીના બનશે. ત્યારે ઉદ્ધવ ઠાકરે પૂર્ણ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદના શપથ લેશે.