એક જવાબદાર મહિલા, સારી પત્ની અને યોગ્ય માતા હોવાની સાથે રશ્મિ ઠાકરેને સંગીત સાથે પણ ખાસ્સો પ્રેમ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ દેસાઈની મુલાકાત કેવી રીતે થઈ તે પણ એક રોચક બાબત છે. આ સાથે જ જાણો ક્યાં નોકરી કરતા હતા રશ્મિ દેસાઈ તે વિશે પણ.
આ રીતે થયા હતા ઉદ્ધવ ઠાકરે અને રશ્મિના લગ્ન
રાજ ઠાકરેની બહેને કરાવ્યો હતો બંનેનો મેળાપ
રશ્મિ દેસાઈને સંગીતમાં પણ છે ખાસ રૂચિ
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ઉદ્ધવ ઠાકરે 59 વર્ષના છે. બાલા સાહેબ ઠાકરેના વારસદાર ગણાતા ઉદ્ધવ ઠાકરે શિવસેનાના અધ્યક્ષ પણ છે. તેમની પત્ની રશ્મિ ઠાકરે છે. ક્યારેક ક્યારેક ઉદ્ધવ ઠાકરેની સાથે સાર્વજનિક મંચ પર જોવા મળનારી રશ્મિ ઠાકરેને વિશે કહેવાય છે કે તે ઓછું બોલે છે. એટલું જ નહીં તે પોતાના કામને લઈને પણ વ્યસ્ત રહે છે.
આવો છે રશ્મિ દેસાઈનો પરિવાર
ડોમ્બિવલીના એક મધ્યમ પરિવારમાં જન્મેલી રશ્મિ ઠાકરેએ 1980માં પોતાનું ગ્રેજ્યુએશન Vaze-Kelkar કોલેજથી કર્યું હતું. તેમના પિતા માધવ પટનાકર એક બિઝનેસમેન છે. રશ્મિ ઠાકરે અને તેમની બહેન પર માતા મીનાતાઈનો ઘણો પ્રભાવ છે.
રશ્મિ દેસાઈનો સ્વભાવ
રશ્મિ દેસાઈને નજીકથી જાણનારાનું માનવું છે કે ઠાકરે પરિવારની મોટી વહુ હોવાની સાથે રશ્મિ દેસાઈ ક્યારેય પાવર કે પોપ્યુલારીટીને પોતાના પર હાવિ થવા દેતી નથી. આ જ કારણ છે કે રશ્મિને પોતાના માતા-પિતા અને સાસરિયા સાથે ઘણો લગાવ છે. એક મહિલા હોવા છતાં રશ્મિ પરિવારને સાથે લઈને ચાલવામાં માને છે. નિર્મલ સ્વભાવ અને પરિવારની વચ્ચે એક અલગ છબિ હોવાના કારણે તેઓએ પોતના બંને બાળકો આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરેની સાથે ખાસ સંબંધ કેળવ્યો છે.
રશ્મિ દેસાઈ અહીં કરતા હતા નોકરી
રસપ્રદ વાત એ છે કે 1987ની સાલમાં રશ્મિ ઠાકરેએ LIC જોઈન્ટ કર્યું હતું. તે સમયે તેઓએ એગ્રીમેન્ટના આધારે અહી નોકરી મેળવી હતી. રશ્મિ LICની જે સ્કીમમાં કામ કરતા હતા તેનું નામ હતું 180 day Scheme.
આ રીતે થઈ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત
LICમાં કામ કરતી સમયે રશ્મિની દોસ્તી રાજ ઠાકરે (હાલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ)ની બહેન જયજયાવંતિ સાથે થઈ હતી. તેઓએ સૌથી પહેલાં તેમની મુલાકાત ઉદ્ધવ ઠાકરે સાથે કરાવી હતી. જલ્દી જ ઉદ્ધવ ઠાકરે અને રશ્મિની આ દોસ્તી ખાસ બની. 13 ડિસેમ્બર 1989ના રોજ રશ્મિ અને ઉદ્ધવ ઠાકરેએ લગ્ન કરી લીધા.
યોગ્ય પત્ની તરીકે સફળ રહી રશ્મિ ઠાકરે
ઉદ્ધવને માટે પત્નીના રૂપમાં રશ્મિનું નામ યોગ્ય સાબિત થયું. રશ્મિ ઠાકરે શરૂઆતથી જ પરિવારને સમર્પિત રહી છે. જ્યારે બાલાસાહેબ ઠાકરે બીમાર થયા ત્યારે પણ માતોશ્રીમાં તેમની ખબર અંતર લેવા આવનારાના ખાન પાનથી લઈને તમામ જરૂરિયાતોનો ખ્યાલ રશ્મિ જ રાખતા.
રશ્મિને છે આ શોખ
એક સારી પત્ની અને સારી માતા હોવા સિવાય રશ્મિ ઠાકરેને સંગીતનો પણ ઘણો શોખ છે. કહેવાય છે કે ઉસ્તાદ ગુલામ અલીની ગઝલ તેમને ખૂબ પસંદ છે. સંગીત સાંભળવા સિવાય ગીત ગણગણવામાં પણ તે પરિપક્વ છે. રશ્મિએ ક્યારેય ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી નથી, પણ તેની મધુર અવાજમાં પણ તે ગીત પણ સારી રીતે ગાઈ શકે છે.