મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામની વચ્ચે આવતીકાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તેને લઈને હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ તમામની વચ્ચે ઉદ્ધવ કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મોટો નિર્ણય
ઉદ્ધવ કેબિનેટમાં લેવાયો આ નિર્ણય
આ શહેરોના નામ બદલવાની મળી મંજૂરી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામની વચ્ચે આવતીકાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તેને લઈને હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ તમામની વચ્ચે ઉદ્ધવ કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઓસ્માનાબાદનું નામ ધારાશીવ અને નવી મુંબઈ એરપોર્ટનું નામ DB પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવાની કેબિનેટની મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય લેતા હિન્દુત્વ કાર્ડ ખેલ્યું છે. ઉદ્ધવ સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલવાની મંજૂરી આપી છે. હવે ઔરંગાબાદને સંભાજી નગર અને ઉસ્માનાબાદ ધારાશિવના નામથી ઓળખાશે. ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઓસ્માનાબાદનું નામ ધારાશીવ અને નવી મુંબઈ એરપોર્ટનું નામ DB પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવાની કેબિનેટની મંજૂરી
Maharashtra state cabinet approves the renaming of Aurangabad to Sambhaji Nagar and Osmanabad to Dharashiv. Navi Mumbai Airport's name will be changed to DB Patil International Airport.
શિંદે જૂથના બળવાની વચ્ચે ઉદ્ધવ સરકારે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. જ્યાં તેમણે ઔરંગાબાદનું નામ બદલી નાખ્યું છે. હવે ઔરંગાબાદનું નામ સંભાજી નગર કરવાનો નિર્ણય કર્યો છે. મોટી વાત એ છે કે, જે બળવાખોર ધારાસભ્યો છે, તેમની માગ હતી કે, સરકાર આ મામલે કંઈ ધ્યાન આપતી નથી.
In the Maharashtra state cabinet meeting, Congress ministers demanded that Pune City be renamed Jijau Nagar: Maharashtra Congress
મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં કોંગ્રેસ તરફથી મોટી માગ કરવામાં આવી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, પુણેનું નામ બદલીને જીજાઉ નગર કરી દેવામાં આવે. જો કે, બેઠકમાં આ નામ પર હાલમાં કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી.