મહારાષ્ટ્રમાં 9 રાજ્ય વિધાનસભા સમિતિની બેઠકો પર 21 મેના રોજ ચૂંટણી યોજાવા જઇ રહી છે. સત્તાધારી પક્ષ શિવસેનાએ આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ વિધાનસભા સમિતિના ઉપ સભાપતિ નીલમ ગોરેની ઉમેદવારી પર મહોર લગાવી દીધી છે. આમ મહોર લાગતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થઇ હોવાનું જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિધાનસભાના સભ્ય નથી કે ન તેઓ વિધાનસભા સમિતિના સભ્ય છે જેના કારણે ઉદ્ધવ ઠાકરેએ કોઇપણ એક સદનની સભ્યતા પ્રાપ્ત કરવી જરૂરી છે.
બંધારણના નિયમ અનુસાર પદ ગ્રહણ કર્યા બાદ છ મહિનાની અંદર કોઇપણ નેતાની વિધાનસભા અથવા વિધાન પરિષદ બંનેમાંથી કોઇએક સભ્ય પદ પર નિમણૂંક થઇ જવી જરૂરી છે અને આવું ન થવા પર તે નેતાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડે.
પાર્ટીના એક નેતાએ જાણકારી આપતા જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે અને ગોરે બંને બેઠકો માટે શિવસેનાના ઉમેદવાર હશે. અમે તે બંનેને બિનહરીફ ચૂંટવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધન મહાવિકાસ અઘાડીની હાલની સંખ્યાને જોતાં ઉપરી સદનમાં બંને ઉમેદવારોને આસાનીથી ચૂંટી શકે છે.
શિવસેના તરફથી મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે આગામી દિવસમાં પોતાનું નામાંકન દાખલ કરશે. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલ અધિસૂચના મુજબ નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 11 મે છે અને નામાંકન પરત લેવા માટેની અંતિમ તારીખ 13 મે છે.