રવિવારે શિવસેનાના કાર્યકરોએ મહારાષ્ટ્રના સોલાપુરમાં કથિત ભાજપના કાર્યકરને પહેલા કાળી શાહીથી નવડાવી દીધો હતો અને ત્યારબાદ તેને સાડી પહેરવાની ફરજ પાડી હતી.
શિવસેનાના કાર્યકરોએ ભાજપ કાર્યકર્તા પર કર્યો હુમલો
શાહીથી નવડાવીને સાડી પહેરવાની પાડી ફરજ
એક સમાચાર એજન્સી દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યો
મહારાષ્ટ્રના સોલાપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પર સીએમ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરવા બદલ શાહી ફેંકવામાં આવી હતી. સમાચારની વિગત પ્રમાણે રવિવારે શિવસેનાના કાર્યકરોએ સોલાપુરમાં કથિત ભાજપના કાર્યકરને પહેલા કાળી શાહીથી સ્નાન કરાવ્યું હતું અને ત્યારબાદ તેને સાડી પહેરવાની ફરજ પાડી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આગાડી સરકાર છે, જેમાં શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ભાગીદારી છે.
#WATCH I Maharashtra: Shiv Sena workers allegedly pour black ink on a BJP leader and forced him to wear a saree after the latter criticised Chief Minister Uddhav Thackeray, in Solapur pic.twitter.com/gdtL9gChT1
એક સમાચાર એજન્સી દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે જેમાં ઘણા શિવસૈનિકો કથિત ભાજપના કાર્યકરને ઘેરીને ઉભેલા અને કાળા શાહીની ત્રણ બોટલોથી તેને નવડાવતા દેખાઈ રહ્યા છે. શાહીથી ભીંજાયેલા ભાજપના કાર્યકર પર શાહી ફેંકીને નવડાવ્યા બાદ આ શિવસૈનિકો તેને સાડી પહેરવાની ફરજ પડી રહ્યા છે. મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે અંગે ભાજપના કાર્યકર દ્વારા અપાયેલા નિવેદનની હાલમાં કોઈ માહિતી મળી નથી. વીડિયોમાં એક પોલીસ કર્મચારી આ લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ પહેલા રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કાંકાવલી ખાતે મેડિકલ કોલેજના ઉદ્ઘાટન સમયે શિવસેના સરકાર પર નિશાન સાધ્યું હતું. શાહે આરોપ લગાવ્યો કે આ "ત્રણ પૈડાવાળી ઓટોરિક્ષા સરકાર" તમામ મોરચે નિષ્ફળ ગઈ છે.
ગૃહપ્રધાને અમિત શાહે સાધ્યું હતું મહારાષ્ટ્ર સરકાર પર નિશાન
તેમણે કહ્યું, "તમે મારી અને પીએમ મોદી સાથે રેલી યોજી હતી. અમે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અમારા નેતા અને મુખ્ય પ્રધાન પદનો ચહેરો છે. ત્યારે તમે કેમ કંઇ કહ્યું નહીં. ત્યારબાદ કોઈ વચન અને વાતચીત થઈ નહોતી. સત્તાના લોભમાં તમે બાળાસાહેબે આપેલા સિધ્ધાંતોને નદીમાં પધરાવીને મુખ્યમંત્રી બન્યા"
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, "કેટલાક લોકો કહે છે કે અમે બંધ દરવાજામાં વચન આપ્યું હતું. આ યોગ્ય નથી. જો આપણે માની લઈએ કે વચન આપ્યું હતું, તો ઉદ્ધવજી, પીએમ નરેન્દ્ર મોદીના બેનરો સાથે પ્રચાર ચલાવી અને તેના નામે તમે મત માંગ્યા. " મહત્વનું છે કે 2019 માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પછી, શિવસેનાએ મુખ્ય પ્રધાન પદના મુદ્દે ભાજપ સાથે ગઠબંધન તોડી દીધું હતું.