મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કાલે એટલે કે 30 નવેમ્બરે બહુમતી સાબિત કરી શકે છે. અને એ માટેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. સૂત્રોનું કહેવું છે કે પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરને બદલવા માટે બહુમતી પરીક્ષણને કાલે બપોરે 2 વાગ્યે કરાવી શકાય તેમ છે.
CM ઉદ્ધવ ઠાકરે 30 નવેમ્બરે બહુમતી સાબિત કરી શકે છે
રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને 3 ડિસેમ્બર સુધી બહુમત સાબિત કરવાનો સમય આપ્યો હતો
ગઠબંધન સરકાર પોતાનો સ્પીકર બનાવાની સાથે જ કબિનેટ વિસ્તારની યોજના બનાવી રહી છે
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને 3 ડિસેમ્બર સુધી બહુમત સાબિત કરવાનો સમય આપ્યો હતો. પરંતુ ઉદ્ધવ ઠાકરે દ્વારા નક્કી સમય પહેલા જ બહુમતી પરીક્ષણ કરાવાને પ્રોટેમ સ્પીકરની જગ્યાએ પોતાનો સ્પીકર બનાવવાની દિશામાં ઉઠાવેલા પગલાના રુપે જોવાઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધન સરકાર પોતાનો સ્પીકર બનાવવાની સાથે જ કબિનેટ વિસ્તારની યોજના બનાવી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે સરકાર મંત્રીમંડળનો વિસ્તાર કરતા પહેલા બહુમતી પરીક્ષણ કરાવી લેવા માંગે છે. તેની પાછળ વાસ્તવ મંશા શું છે. એ તો સરકારમાં સામેલ ત્રણેય પાર્ટીઓના ટોચના નેતા જ જાણે પરંતુ ચર્ચા એમ પણ છે કે ધારાસભ્યોના શપથ ગ્રહણથી લઇને બહુમતી પરીક્ષણ સુધી સરકાર વધારે સમય લેવાના મૂડમાં નથી.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ઘણા દિવસો સુધી ચાલેલી રાજકીય ઉથલપાથલ બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બની છે.