સીએમ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના આમને સામને આકરા પ્રહાર
ઉદ્ધવે કટપ્પા કહ્યા તો શિંદે કહ્યું ગદ્દારી નહીં ગદર કર્યું
દશેરા નિમિતે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ફિલ્મ અને ફિલ્મી પાત્રોના નામ લઈ ઉદ્ધવ ઠાકરે અને સીએમ શિંદે એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ દાદરના શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કર્યું હતું, જ્યારે એકનાથ શિંદે જૂથે BKC મેદાનમાં રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું. બાળાસાહેબ ઠાકરેના બીજા પુત્ર જયદેવ ઠાકરે પણ અહીં તેમની રેલીમાં સામેલ થયા હતા.શિવસેનાથી અલગ થયા બાદ એકનાથ શિંદે જૂથની આ પ્રથમ દશેરા રેલી હતી.
અમે ગદ્દારી નહીં ગદર(ક્રાંતિ) કરી છે: સીએમ શિંદે
સીએમ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે મહારાષ્ટ્રના મતદારોએ તમને અને ભાજપને વિધાનસભા ચૂંટણીમાં પસંદ કર્યા, પરંતુ તમે (ઉદ્ધવ) કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને લોકોને છેતર્યા.શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર વાર કરતાં કહ્યું કે ઉદ્ધવ કોંગ્રેસ-એનસીપીના તાલે નાચતા રહ્યા. તેણે કહ્યું કે અમે દગો કર્યો નથી. દગો થયો પણ 2019માં. મહા વિકાસ આઘાડી (MVA) બનાવીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. અમે ગદ્દારી નહીં ગદર(ક્રાંતિ) કરી છે
Maharashtra | This is not your (Uddhav Thackeray) private Limited company. The Shiv Sena is of shiv-sainiks who have given their sweat for it. Not for people like you, who did partnerships & sold it: CM Eknath Shinde pic.twitter.com/eGW8u7Zjq5
એકનાથ શિંદેએ પંક્તિ ટ્વીટ કરી
સીએમ શિંદેએ કહ્યું કે તમે બાળાસાહેબના વિચારોનું સમર્થન કર્યું છે. બાળાસાહેબના વિચારો આપણી સાથે છે. મંચ પરથી કાર્યકર્તાઓને સંબોધતા શિંદેએ શિવાજી, બાળાસાહેબ ઠાકરેના નારા લગાવ્યા. તેમણે કહ્યું કે ગર્વથી કહો કે અમે હિન્દુ છીએ. મુખ્યમંત્રી હોવા છતાં હું સાદો કાર્યકર છું.BKC ગ્રાઉન્ડ પર રેલીની શરૂઆત પહેલા એકનાથ શિંદેએ ટ્વીટ દ્વારા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો છે. જેમાં તેણે હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓ લખી હતી કે "મારા પુત્ર, પુત્ર હોવાના કારણે મારા વારસ નહીં બને, જે મારા વારસદાર હશે તે મારા પુત્રો હશે."
The only thing I feel bad and angry about is that when I was admitted to the hospital, the people whom I gave the responsibility (of the state) became 'Katappa' and betrayed us... They were cutting me and thinking that I will never return from hospital: Uddhav Thackeray https://t.co/7OBfiD3b0upic.twitter.com/uDi4h13ynr
રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ શિંદે અને ભાજપ પર નિશાન સાધ્યું હતું
ઉદ્ધવ ઠાકરે જૂથે શિવાજી પાર્ક ખાતે દશેરા રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મંચ પરથી બોલતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને એકનાથ શિંદે પર જોરદાર નિશાન સાધ્યું હતું. અહીં તેણે શિંદેની મજાક ઉડાવી અને તેને કટપ્પા કહ્યા. અહીં કાર્યકર્તાઓને સંબોધતા ઠાકરેએ કહ્યું કે દેશદ્રોહી દેશદ્રોહી જ કહેવાશે. દરેક વ્યક્તિએ આ વાત જાણવી જોઈએ કે શિવસેનાનું સિંહાસન મારા શિવસૈનિકોનું છે. જનતા કટપ્પાને ક્યારેય માફ કરવાની નથી. ભાજપે પણ યોગ્ય નથી કર્યું, છેતરપિંડીનું કામ પણ કર્યું છે. શિંદે પર મોટું નિવેદન આપતા ઉદ્ધવે એમ પણ કહ્યું કે આ લોકો શિવસેનાનું નામ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ લોકો થોડા સમય માટે જ ખુરશી પર રહેવાના છે. તેમનું કોઈ ભવિષ્ય નથી. હું હિંદુ છું, કોઈએ ડરવાની જરૂર નથી કે નમવાની જરૂર નથી.