વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી મહારાષ્ટ્ર પોતાની નવી રાજ્ય સરકારની પ્રતિક્ષામાં છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં રાજકીય હલચલ વધતી જોવા મળી રહી છે. ભાજપનો સાથ છોડનાર શિવસેના હવે કોંગ્રેસ અને NCP સાથ જઇ રહેલી જોવા મળી રહી છે અને ત્રણેય પક્ષ વચ્ચે સરકાર ગઠનને લઇને ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જો કે હજુ પણ બે મુદ્દાઓ એવા છે જેના પર સરકાર ગઠનની વાત અટકી છે.
શિવસેના-કોંગ્રેસ-NCP વચ્ચે આ બે મુદ્દાઓ પર અટકી વાત
સાવરકરને ભારત રત્ન-મુસલમાનોને 5 ટકા અનામત
શિવસેના સંપૂર્ણ રીતે હિન્દુત્વ એજન્ડા પર
આ બે મુદ્દાઓ પર સરકાર ગઠનની વાત અટકી
મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનની સરકારને લઇને લગભગ સમજૂતિ થઇ ગઇ હોવાનું સૂત્રોને જાણવા મળ્યું છે. જો કે તેમ છતાં મુખ્ય આ બે મુદ્દાઓ પર ડખો થયો હોવાની અટકળો સામે આવી રહી છે.
જેમાં મુખ્યત્વ શિવસેના દ્વારા વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ-NCPએ મુસલમાનોને 5 ટકા આરક્ષણ આપવાની માગ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે શિવસેના સંપૂર્ણ રીતે હિંદુત્વના મુદ્દા પર રાજકારણ કરી રહી છે પરંતુ કોંગ્રેસ-NCP સાથે શિવસેનાએ ઘણા મુદ્દાઓનો ત્યાગ કરવો પડી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી હોય અથવા લોકસભા ચૂંટણી શિવસેના તરફથી સતત વીર સાવરકરને ભારત રત્ન દેવાની માગ કરવામાં આવી રહી હતી. જો કે કોંગ્રેસ-NCP સતત વીર સાવરકરને એક વિવાદસ્પદ વ્યક્તિત્વ માનતી આવી છે.
જ્યારે બીજી તરફ જો મુસ્લિમ આરક્ષણની વાત કોંગ્રેસ-NCP કરે તો શિવસેના આ મુદ્દે વિરોધ કરતી જોવા મળી રહી છે અને રાજ્યમાં મરાઠા અનામતને આપવાની વાત કરતી આવી છે. આમ હવે બધાની નજર છે કે જે મુદ્દાઓ પર વાત અટકી છે તેનું નિવારણ કઇ રીતે થાય છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ સરકાર બનાવાને લઇને મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે સતત વાતચીતનો દોર જોવા મળી રહ્યો છે. ત્રણેય પક્ષ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP)ને લઇને સમજૂતિ બની ગિ છે. આ સમજૂતિ હેઠળ શિવસેનાને 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ મળશે, જ્યારે રાષ્ટ્રવાદ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 14 અને કોંગ્રેસના 12 મંત્રીઓ પદભાર સંભાળશે. જ્યારે શિવસેનાના ખાતામાં મુખ્યમંત્રી સહિત 14 મંત્રીનો પદભાર મળ્યો છે.