મુંબઇ: સાંઈ બાબાની સમાધિને સો વર્ષ પૂરા થતાં સમાધિ શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ પ્રસંગે મંદિરમાં મોટા પાયે દાન આવ્યું.
દાનની રકમ એટલી મોટી છે કે મંદિર સ્ટાફને પણ પૈસા ગણતા ગણતા પરસેવો છૂટી ગયો. તાજા આંકડાઓ પર નજર કરવામાં આવે તો કુલ રૂ. 6.66 કરોડનું દાન મંદિરને મળ્યું છે.
ભક્તોએ ચાર દિવસમાં ભક્તોએ રેકોર્ડ બ્રેક દાન કર્યુ છે. આવું પહેલીવાર નથી બન્યુ કે શિરડીના સાઈબાબા મંદિરમાં આટલું મોટુ દાન આવ્યુ હોય. આ પહેલા પણ ભક્તોએ રેકોર્ડ બ્રેક દાન કર્યુ છે. શિરડીમાં દર વર્ષે કરોડોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. આવામાં ભક્તો દ્વારા રૂપિયા સોનું ચાંદી અને અનેક અમૂલ્ય ચીજવસ્તુઓની ભેટ ચડાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે શિરડી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટે આ શતાબ્દી મહોત્સ નિમિત્તે ભક્તો અને સંસ્થાનથી જોડાયેલા લોકોને ખાસ ભેટ સોગાદ આપવાનો નિર્ણય કર્યો છે.
સંસ્થાને આ નિમિત્તે પૂર્વ અને વર્તમાન ટ્રસ્ટી સંસ્થાન સાથે જોડાયેલા સન્માનનીય લોકો અને અધિકારીરૂપે કાર્યરત તમામ કર્મચારીઓ માટે 25 ગ્રામ ચાંદીના ખાસ સિક્કાની ભેટ ધરી છે.
આ મામલે ટ્રસ્ટી સુરેશ હવારે એ કીધું કે આ કાર્ય માટે 10 હજાર સિક્કા તૈયાર કરવામાં આવ્યા છે. આ કામ માટે સરકારની મંજૂરી પણ લેવામાં આવી છે. આ સિક્કામાં સાંઇબાબાની આકૃતિ ઉભરી આવેલી સ્પષ્ટ જોવા મળે છે. જેનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે.