મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાને લઈને અટકળો ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવા પર આજે ચર્ચા થઇ. બેઠકમાં સોનિયા ગાંધીએ વિચારધારાના સ્તરે વિપરીત શિવસેના સાથે સરકાર બનાવવાને લઇને ગઠબંધનની સંભાવનાઓ પર ચર્ચા કરી. બીજી તરફ ત્યારે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ભાજપ અને શિવસેના મળીને સરકારે બનાવે તેવો દાવો કર્યો છે.
શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી
કોઇની સાથે સરકાર બનાવવાની વાત હજુ અમે નથી કરી
સહયોગીઓ સાથે વાત કરીશુંઃ પવાર
શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે બેઠક પૂર્ણ થઇ છે. આ બેઠકમાં આશરે 50 મીનિટ સુધી બંને વચ્ચે ચર્ચા ચાલી હતી. હવે સંજય રાઉત સાથે પવાર મુલાકાત કરશે.
સરકાર બનાવવા પર ચર્ચા નથી થઇઃ પવાર
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ચર્ચા માટે NCP પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં તેમણે કહ્યું કે અમે તેમને (સોનિયા ગાંધી) પરિસ્થિતિથી અવગત કર્યા છે. અમે અન્ય મુદ્દાઓ પર વાત નથી કરી. અમે પરિસ્થિતિ પર નજર રાખેલી છે. અમે બન્ને દળોના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીશું અને તેમનો અભિપ્રાય લઇશું. તેના આધારે અમે ભવિષ્યને લઇને નિર્ણય કરીશું. કોઇની સાથે સરકાર બનાવવાની વાત હજુ અમે નથી કરી. શિવસેનાને સમર્થન મુદ્દે કેટલાક નેતાઓ વિરોધમાં છે.
Sharad Pawar after meeting Sonia Gandhi: We discussed in detail about Maharashtra's political situation. I briefed her on it. Mr. AK Antony was also there. Certain leaders of both(Congress-NCP) parties will meet and discuss further and get back to us pic.twitter.com/0QKsSsD8oD
શરદ પવારે કહ્યું કે, અમે તો માત્ર હાલની મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિત વિશે ચર્ચા કરી છે. અમે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીની સાથે પણ સમજૂતી કરી હતી, એક-બે લોકો તેમના પણ આવ્યા છે. પહેલા પોતાના સહયોગીઓ સાથે પણ વાત કરવાની છે.
ભાજપ-શિવસેના વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છેઃ આઠવલે
રામદાસ આઠવલેએ પ્રતિક્રિયા આપી હતી કે, સંજય રાઉત સાથે મુલાકાત કરી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચર્ચાઓ પણ ચાલી રહી છે. આઠવલેએ ત્રણ અને બે વર્ષના ફોર્મ્યુલા પર રાઉતને સલાહ આપી હતી. આઠવલેએ ભાજપના ત્રણ વર્ષ મુખ્યમંત્રી અને શિવસેનાના બે વર્ષ મુખ્યમંત્રી પર રાઉતને સલાહ આપી. આ મામલે શિવસેનાએ તૈયારી દર્શાવી છે. ત્યારે હવે રામદાસ આઠવલે ભાજપના નેતાઓ સાથે ગઠબંધનને લઈને ચર્ચા કરશે. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને નિર્ણય લેવાશે.