મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાના મુદ્દા પર રાજનીતિ ગરમાઈ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જનતા માટે ધાર્મિક સ્થળ ખોલવા માટે હસ્તક્ષેપ કરવા માટે કહ્યું હતુ. તો વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર સરકારની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યુ છે.
મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા અંગે રાજનીતિ ગરમાઈ
રાજ્યપાલના પત્રની ભાષા પર સવાલ કરતા શરદ પવારે પત્ર લખ્યો
શરદ પવારે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કરી રજૂઆત
It was brought to my notice through the media, a letter written by the Hon. Governor of Maharashtra to the @CMOMaharashtra
In this letter the Hon. Governor has sought the intervention of the Chief Minister to open up religious places for the public. pic.twitter.com/1he2VOatx3
> આ ઘટના બાદ હવે NCP ના વડા શરદ પવારે પીએમ મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રાજ્યપાલ કોશ્યારીના પત્રની ભાષા પર સવાલ ઉઠાવ્યા છે. શરદ પવારે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કહ્યું કે, માનનીય રાજ્યપાલ કોઈપણ મુદ્દે સ્વતંત્ર મંતવ્ય રાખી શકે છે. મુખ્યમંત્રીને તેમના મંતવ્યોથી વાકેફ કરવા બદલ હું રાજ્યપાલની પ્રશંસા કરું છું. જો કે, રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીને મોકલાયેલ પત્ર અને પત્રમાં ભાષાના પ્રકારનો ઉપયોગ જોઈને મને આશ્ચર્ય થાય છે. મને ખાતરી છે કે તમે પણ અહીં ઉપયોગમાં લેવાયેલ ભાષા પર ધ્યાન આપ્યું હશે. આપણાં બંધારણની પ્રસ્તાવનામાં 'સેક્યુલર' શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જે તમામ ધર્મો પ્રત્યે આદર દર્શાવે છે. જેના લીધે મુખ્યમંત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન તેને જાળવી રાખવું જરૂરી છે. દુર્ભાગ્યવશ, માનનીય રાજ્યપાલ તરફથી મુખ્યમંત્રીને લખેલ પત્ર જાણે કોઈ રાજકીય પક્ષના નેતાને લખવામાં આવ્યો હોય તેવો છે.
તેમણે લખ્યું કે મને રાજ્યપાલના પત્ર લખવાની વાત મીડિયાના માધ્યમથી જાણવા મળી છે. તેણે કોરોના અંગે લખ્યુ કે રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળ છે. જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય છે. જેમાં તેમણે મુંબઈના સિદ્ધિવિનાયક, પંઢરપુરના વિઠ્ઠલ મંદિર, શેરડીના સાઈ મંદિરનું ઉદાહરણ આપતુ કહ્યું કે સામાન્ય દિવસોમાં પણ અહીં ભીડ જોવા મળે છે. કેટલાક એવા સ્થળો છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અશક્ય છે.