સોમવારે મહારાષ્ટ્ર અને મુંબઈથી કોરોનાને લઈને બે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મુંબઈ-મહારાષ્ટ્રના કેસોમાં નોંધાયો ઘટાડો
આજે કેસોની સંખ્યા કરતાં સાજા થનારા લોકોની સંખ્યા વધુ
મુંબઇમાં આજે નોંધાયા 7 હજારથી પણ ઓછા કેસ
સોમવારે મહારાષ્ટ્રમાં જ્યાં 51,651 કેસ નોંધાયા છે, ત્યાં મુંબઈમાં કોરોના કેસ 7 હજારથી ઓછા નોંધાયા છે. એક દિવસ પહેલા, જ્યાં મહારાષ્ટ્રમાં 63 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા, તે જ સમયે મુંબઇમાં પણ આશરે 10 હજાર દર્દીઓ મળી આવ્યા હતા.
મુંબઈ-મહારાષ્ટ્રના કેસોમાં નોંધાયો ઘટાડો
મહારાષ્ટ્ર અને મુંબઇને લઇને રાહતના મોટા સમાચાર આવ્યા છે, આજે કેસોમાં નોંધપાત્ર ઘટાડો તો થયો જ છે, પરંતુ સાથે જ એક મોટી વાત બીજી એ છે કે આ લહેરમાં પહેલીવાર સક્રિય કેસોમાં ઘટાડો થયો છે, કેમ કે 24 કલાકમાં મળેલા કેસો કરતા સાજા થનારા લોકોની સંખ્યા વધુ છે. કોરોના કેસોમાં આ ઘટાડો એવા સમયે નોંધાયો છે જ્યારે રાજ્યમાં કોઈપણ સમયે લોકડાઉન જાહેર થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે કોરોના કેસોમાં ઘટાડાની અસરમાં વીકેન્ડ લોકડાઉનની અસર હોઈ શકે છે, મહત્વનું છે કે શુક્રવારે સાંજથી સોમવાર સવાર સુધી રાજ્યમાં કડક લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું હતું.
Maharashtra reports 51,751 new #COVID19 cases, 52,312 recoveries & 258 deaths in the last 24 hours.
Total cases: 34,58,996
Total recoveries: 28,34,473
Death toll: 58,245
Active cases: 5,64,746 pic.twitter.com/cvY55AI83A
મહારાષ્ટ્રમાં, છેલ્લા 24 કલાકમાં 51,751 કેસ નોંધાયા છે અને આની સાથે જ સંક્રમણનો કુલ આંક વધીને 34,58,996 થયો છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 258 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 58,245 લોકો વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યામાં પણ નજીવો ઘટાડો થયો છે. સોમવારે રાજ્યમાં 52,312 લોકોની રિકવરી થઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 28,34,473 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા હવે 5,64,746 છે.
શું છે કેન્દ્રનો અહેવાલ
કોરોના વાયરસ સ્થિતિની સમીક્ષા માટે મહારાષ્ટ્ર મોકલવામાં આવેલી કેન્દ્રીય ટીમે કહ્યું છે કે સાતારા, સાંગલી અને ઔરંગાબાદ જિલ્લામાં નિયંત્રણ માટે લેવાયેલા પગલાં જરૂરિયાતના ધોરણ કરતા ઓછા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને મોકલાયેલ રિપોર્ટમાં જણાવાયું છે કે સેન્ટ્રલ ટીમોને અમુક જગ્યાએ દેખાયું છે કે નિયંત્રણ માટે સંતોષકારક પગલા લેવાયા નથી અને દેખરેખનો પણ અભાવ છે, સાથે જ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "બુલધના, સાતારા, ઔરંગાબાદ અને નાંદેડમાં લોકોની દેખરેખ રાખવા અને ટ્રેસિંગનું કામ પણ સામાન્ય ધોરણ કરતાં ઓછું છે."