મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 62,919 લોકો કોરોના સંક્રમિત થયાં છે, આ સાથે જ 828 લોકોના મૃત્યુ થયાં છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેફામ
24 કલાકમાં 62,919 નવા કેસ
800થી વધુ લોકોના થયાં મોત
આમ મહારાષ્ટ્રમાં મૃતકોની કુલ સંખ્યા વધીને 68,813 થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. ગુરુવાર સુધીમાં મહારાષ્ટ્રમાં 3240 ઓછા કેસ છે. એક દિવસ અગાઉ, 66,159 લોકો વાયરસથી ગ્રસ્ત થયા હતા.
મૃત્યુઆંકમાં ઉછાળો
ઉલ્લેખનીય છે કે, મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે રાજ્યમાં કોરોનાને કારણે 771 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જો કે, અધિકારીઓ કહે છે કે છેલ્લાં એક અઠવાડિયામાં 165 અને 48 કલાકમાં 383 મૃત્યુ થયાં છે.
ભારતમાં દરરોજ નોંધાતા આંકડા 4 લાખ પહોંચવા આવ્યા
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. દર રોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોજ નોંધાતા આંકડા 4 લાખને પહોંચવા આવ્યા છે. દેશમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના સંક્રમણના 386,888 મામલા નોંધાયા છે. જે બાદ સંક્રમણના કુલ કેસ 1,87,54,984 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે.
મહારાષ્ટ્રમાં હાલમાં કડક લોકડાઉનની કોઈ જરુર નથી
ઉદ્વવ ઠાકરેએ જણાવ્યું કે ગઈકાલે જ હાઈકોર્ટે પૂછ્યું છે કે શું ગયા વર્ષની જેમ આ વખતે પણ કડક લોકડાઉનની જરુર છે. હું તમને પુછવા માંગું છું કે, મને લોકડાઉનની કોઈ જરુર લાગતી નથી. મેં તમને કહ્યું હતું કે રોજી ભલે અટકી જાય પણ રોટી ન અટકવી જોઈએ. ઘણા લોકોને લાગી રહ્યું છે કે બીજા રાજ્યોએ જે કર્યું તે કરવું જોઈએ. જો કોઈ સારુ કરી રહ્યાં હોય તો અમે પણ તેને પગલે ચાલીશું.
હજુ પણ થોડા દિવસ આ નિયમોનું પાલન કરવાનું છે
પોતાના સંબોધનમાં ઠાકરેએ જણાવ્યું કે કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો આવ્યો છે પરંતુ જે ગતિએ કેસો વધી રહ્યાં છે તેવી રીતે હવે વધતા નથી. જો તે ગતિએ વધતા હોય તો અત્યાર સુધી રાજ્યમાં 9 થી 10 લાખ કોરોનાના દર્દીઓ હોત. હવે આપણે આ સંખ્યાને 6 લાખની આસપાસ રાખીએ છીએ. જો લોકોએ સંયમ ન દાખવ્યો હોત તો આ શક્ય ન બન્યું હોત. હજુ પણ થોડા દિવસ તમારે આ નિયમોનું પાલન કરવાનું છે.
લગ્નમાં ફક્ત 25 લોકોને બોલાવો, લોકો ગંભીરતાથી સમજે
ઉદ્વવ ઠાકરેએ જણાવ્યું કે લોકોએ લગ્નમાં 25 લોકોને બોલાવવા જોઈએ અને 2 કલાકમાં લગ્નને આટોપી લેવા જોઈએ. તમે તેને ગંભીરતાથી સમજો અને નિયમોનું પાલન કરો. ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જિલ્લા અધિકારીને કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને નવા ઓક્સીજન પ્લાન્ટ અને દવાઓને સ્ટોક કરી રાખવાની યોજના બનાવવા કહ્યું છે.