વરસાદના કારણે 136 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક ગામોનો સંપર્ક તુટ્યો છે.
વરસાદના કારણે 136 લોકોના મોત
અનેક ગામોનો સંપર્ક તુટ્યો છે.
દુર્ઘટનામાં 45 લોકો હજું ગુમ
વરસાદના કારણે 136 લોકોના મોત
મહારાષ્ટ્ર સરકાર તરફથી અભૂતપૂર્વ ગણાવવામાં આવી રહેલા વરસાદનો કહેર જારી છે. ગુરુવારે સાંજે બનેલી ઘટનાઓમાં વરસાદના કારણે 136 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક ગામોનો સંપર્ક તુટ્યો છે. રાજ્યમા સેનાએ મદદ કાર્ય શરુ રાખ્યું છે. ખરાબ રીત અસર ગ્રસ્તોમાં થાણે, રાયગઢ, રત્નાગિરી, સાતાર, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાથી 7 હજારથી વધારે લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓમાં જીવ ગુમાવનારાને સીએમ ઉદ્ધવ ઠાકરેની સરકાર તરફથી 5 લાખ અને કેન્દ્ર તરફથી 2 લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું છે.
કોરોના હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા
ચિપલૂનના કોરોના હોસ્પિટલમાં દાખલ 8 લોકોના પરિસરમાં પાણી ભરાવવાના કારણે મોત થયા છે. જેમાંથી 4 વેન્ટિલેટર પર હતા જેમનું વીજળીની અછતના કારણે મોત થયું છે. તો કદાચ 4 ટ્રોમાના કારણે માર્યા ગયા છે. આ દરમિયાન એકલા રાયગઢ જિલ્લામાં 45 લોકોના મોત થયા છે અને અલગ અલગ ઘટનામાં 13 ઘાયલ થયા છે. જિલ્લામાં 40 લોકો ગુમ છે મહાડા તાલુકાના તાલિયા ગામમાં જાનહાનિના 32 કેસ નોંધાયા છે. આ જાણકારી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.
લેન્ડ સ્લાઈડિંગના કારણે વધારે નુકસાન
રાજ્યના પશ્ચિમી અને તેમની ઉત્તરી વિસ્તારોમાં ભૂસ્ખલનના સમાચાર છે. પોલાડપુર તાલુકાના ગોવેલેમાં રાતે 10 વાગે ભૂસ્ખલન થયું હતુ. જેમાં 10થી વધારે લોકોના મોત થયા છે. 6 લોકોની લાશ મળી છે. 10ને બચાવી લેવામાં આવ્યા છે. સાતારાના કલેક્ટરે જણાવ્યું કે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હોવાથી 30 લોકો ગુમ છે. 300ને બચાવી લેવામાં આવ્યા છે. 2 વાઈમાં ડૂબ્યા અને 820 લોકોને કરાડમાં બચાવી લેવાયા છે.
લોકોને એર લિફ્ટ કરવામાં આવ્યા
કોલ્હાપુર અને સાંગલીમાં 2019 જેવી ખરાબ સ્થિતિથી બચવા માટે એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કોલ્હાપુરના મંત્રી સતેજ પાટીલે કહ્યું કે કોલ્હાપુરની સ્થિતિ બહું ખરાબ છે.અમે સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણા છીએ. લગભગ 300 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 2019માં સંપૂર્ણ રીતે ડૂબેલા ગામ જનોને નિકાળવામાં આવ્યા છે. કોયના ઉપરાંત કોલ્હાપુર સ્થિત અલમટ્ટી બાંધમાં પાણીની ક્ષમતાને વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બચાવ કામગીરી ચાલું છે ત્યારે રાયગઢ જિલ્લામાં ફસાયેલા લોકોને એર લિફ્ટ કરવામાં આવ્યા છે.