મુંબઇ: જમ્મૂ-કશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આતંકી હુમલા મામલે હવે મુંબઈમાં લોકોએ રોષ ઠાલવ્યો છે. મુંબઈના નાલાસોપારામાં લોકોએ ટ્રેન રોકીને રોષ ઠાલવ્યો છે. મોટી સંખ્યામાં લોકો લોકલ રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે અને ટ્રેનને અટકાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે આતંકવાદીઓએ CRPFના જે કાફલા પર હુમલો કર્યો તે જમ્મૂ-શ્રીનગરની તરફ જઇ રહ્યો હતો અને તેમાં 78 વાહનોમાં 2547 જવાન શામેલ હતા. આ આતંકી હુમલામાં 37 જવાન શહીદ થયા અને લગભગ 20થી વધારે જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Maharashtra: Protesters stage demonstration on the railway tracks at Nallasopara railway station in protest against #PulwamaAttack. Train movement affected at Nallasopara and beyond. pic.twitter.com/BzFLDzyi6z
પુલવામામાં CRPF જવાનો પર થયેલા આ આંતકી હુમલો પહેલી વખત નથી. એક વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2018ના આંતકીવાદીઓએ પુલવામાં પંજગામ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આંતકવાદીઓએ CRPFના શિબિર પર હુમલો કરવા કેમ્પમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો પરંતુ જવાનોની સતર્કતાને કારણે તેઓ સફળ ના થયા.
તમને જણાવી દઇએ કે પહેલા જ્યારે સુરક્ષાબળોને ફાકલો ચાલે છે ત્યારે વચ્ચે સિવિલ ગાડીઓને નથી જવા દેવામાં આવતી પરંતુ સ્થિતિ ઠીક રહેતા કાફલાની વચ્ચે અથવા તો આગળ-પાછળ સિવિલની ગાડીઓ ચાલી જે ખતરનાક સાબિત થઇ. CRPFના અધિકારીએ જણાવ્યુ કે ''સ્થાનીય નાગરિક અમારી મૂવમેન્ટથી મુશ્કેલી ના વેઢે આ માટે તેમની ગાડીઓને ફાકલાની આસપાસ જવા-આવવાની પરવાનગી આપવામાં આવી હતી આ રીતે હુમલો કરવાની રીત નવી હતી અને ચોંકાવનારી હતી.'' તેમણે કહ્યુ કે ''સુરક્ષાબળો પોતાની રણનીતિમાં બદલાવ ચોક્કસથી કરશે.''