મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભલામણને સ્વીકારીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્વીકાર્યું છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની રાજ્યપાલની ભલામણ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ત્યારે આ તરફ NCP અને કોંગ્રેસએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
NCP- કોંગ્રેસની સંયુક્ત પત્રકાર પરિષદ
NCP એ કહ્યું શિવસેનાએ 11 નવેમ્બરે કર્યો અમારો સંપર્ક
શિવસેનાએ પણ પત્રકાર પરિષદને સંબોધી
NCP અને કોંગ્રેસના નેતાઓ આજે મુંબઈમાં મળ્યા હતા. મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે શિવસેનાએ 11 નવેમ્બરના રોજ અમારો સત્તાવાર રીતે સંપર્ક કર્યો હતો.
NCP leader Praful Patel: A meeting was held between senior leaders of NCP and Congress today. On 11th November Shiv Sena first contacted us formally. We will discuss on all the issues and then take a decision. #Mumbaipic.twitter.com/65aprntKXD
કોંગ્રેસ નેતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રપતિના શાસનની ટીકા કરે છે. અહેમદ પટેલે કહ્યું કે કેન્દ્ર ક્યારેય નિયમોનું પાલન કરતું નથી અને ઘણાં રાજ્યોમાં મનસ્વી રીતે કામ કરતું નથી.
Ahmed Patel, Congress: The way President's rule was recommended, I condemn it. This government has violated the SC guidelines on President's rule on several occasions in in the last 5 years. #Mumbai#MaharashtraGovtFormationpic.twitter.com/P25f8QDI9D
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે,અમને સરકાર બનાવાનો પૂરતો સમય ન આપ્યો અને અમે હજુ પણ સરકાર બનાવી શકીએ છીએ. શિવસેનાએ પોતાને સમય ન મળ્યો તે બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ સૂત્રો અનુસાર CJI દીલ્હીમાં હાજર નહોતા. હવે સૂત્રો અનુસાર આવતીકાલે સવારે ફરી વખત બીજી અરજી શિવસેના દાખલ કરશે.
Uddhav Thackeray, Shiv Sena chief: BJP was invited by the Governor but they refused to form govt in the state. The next day we were given the invitation (by Governor), we were given only 24 hours time but we required 48 hours. But he (Maharashtra) didn't give us 48 hours time. pic.twitter.com/0dbinykFWE
આ સાથે જ શિવસેના પ્રમુખે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ભાજપ ખોટું બોલે છે 50-50ની ફોર્મ્યૂલા પર વાત થઈ હતી. જો કે, પરિણામો બાદ ભાજપે ફેરવી તોળ્યું અને શિવસેના સાથે સરકાર રચવાની વાત થઇ છે પરંતુ 50-50ની ફોર્મ્યૂલા પર કોઇ જ પ્રકારની વાત થઇ નથી તેમ જણાવ્યું હતું.
Uddhav Thackeray, Shiv Sena chief: Yesterday we formally requested Congress-NCP for their support to form the government. We needed 48 hours, but the Governor didn't give us time. #Maharashtrahttps://t.co/2XL0YRallL
મલાડની હોટલ રીટ્રીટમાં શિવસેનાના ધારાસભ્યોને સંબોધન કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ શાસનની ચિંતા ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસનને કારણે સરકાર બનાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસ અને એનસીપી સાથે વાટાઘાટો કરી રહ્યા છે, અને તેમણે ધીરજ રાખવી જોઈએ.
Uddhav Thackeray, Shiv Sena: BJP-Shiv Sena were together for many yrs but now Shiv Sena has to go with Congress-NCP. We'll hold further talks with both of them. I would like to thank Arvind Sawant, many people have lust for ministerial post but he isn't like that. Proud of him. pic.twitter.com/oxCKaPRUYR
ઉદ્ધવે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર પર શિવસેનાનો દાવો અકબંધ છે. ઉદ્ધવે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન શિવસેનાને રાજ્યમાં સરકાર બનાવતા રોકી શકશે નહીં. ઉદ્ધવે કહ્યું કે, આગામી ચારથી પાંચ દિવસમાં તેઓ રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે. તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યોએ ધૈર્ય રાખવો જોઈએ, આ મુદ્દો ઉકેલાશે અને ટૂંક સમયમાં શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.