મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જુલાઈ કે ઓગસ્ટમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છે. ઉદ્ધવ સરકારે ખાસ આદેશ આપીને તૈયારીઓ શરૂ કરી છે.
મહારાષ્ટ્રમાં કોરોના સામે લડવા તૈયારીઓ શરૂ
જુલાઈ કે ઓગસ્ટમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકેઃ સ્વાસ્થ્ય મંત્રી
ઉદ્ધવ સરકારે ખાસ આદેશ આપીને તૈયારીઓ શરૂ કરી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જિલ્લા અધિકારીને કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને નવા ઓક્સીજન પ્લાન્ટ અને દવાઓને સ્ટોક કરી રાખવાની યોજના બનાવવા કહ્યું છે. એક માહિતી અનુસાર મુખ્યમંત્રીએ જિલ્લા આયુક્ત, સંભાગ આયુક્ત અને નગર આયુક્તની વર્ચ્યુઅલ બેઠકમાં કોરોના મહામારીની સ્થિતિને લઈને જાણકારી લીધી હતી. તેઓએ કહ્યું કે ત્રીજી લહેરને રોકવા માટે વેક્સીનેશનમાં ઝડપ લવાશે. અમે 18-44 વર્ષના લોકોને ફ્રીમાં વેક્સીન લગાવવાની જાહેરાત કરી છે તેની આપૂર્તિની યોજના બનાવવાની રહેશે. તેઓએ કહ્યું કે ઓક્સીજન સંયંત્ર સ્થાપિત કરવાની મંજૂરી મળી છે અને જિલ્લા પ્રશાસને નક્કી કરવાનું રહેશે કે ભવિષ્ય માટે ઓક્સીજનનો સ્ટોક રહે.
पिछले 24 घंटों में महाराष्ट्र में 66,159 नए कोविड मामले और 771 मौतें दर्ज़ की गई; राज्य में सक्रिय मामले 6,70,301 हैं। #COVID19pic.twitter.com/gQKQ69TMUU
જુલાઈ કે ઓગસ્ટમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકેઃ સ્વાસ્થ્ય મંત્રી
આ પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જુલાઈ કે ઓગસ્ટમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં નવા 66159 કેસ આવ્યા છે તો સાથે 771 લોકોના મૃત્યુ થયા છે.
વેક્સીનેશનની ધીમી પ્રક્રિયાના કારણે આવી શકે છે ત્રીજી લહેરઃ વિશેષજ્ઞ
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના અનુસાર બુધવારે ચેતવણી અપાઈ છે કે મહારાષ્ટ્રમાં વેક્સીનેશનની ધીમી પ્રક્રિયાથી રાજ્યમાં ત્રીજી લહેર આવી શકે છે. આ ચેતવણી ત્યારે અપઈ છે જ્યારે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં વેક્સીન નહીં હોવાના કારણે તેઓ 18-44 વર્ષના લોકોનું વેક્સીનેશન 1 મેથી શરૂ કરી શકશે નહીં. અગાઉ પણ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે વેક્સીન ઉપલબ્ધ નહીં હોવાને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં મહામારીનો કહેર છે ત્યાં હાલમાં વેક્સીનની અછતના કારણે વેક્સીનેશન ધીમું ચાલી રહ્યું છે.
કોરોના મહામારી પર કાબૂ ત્યારે જ મળી શકશે જ્યારે 2/3 લોકોને વેક્સીન લાગી જાય. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના એક એધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં વેક્સીન લગાવવા યોગ્ય 9 કરોડ લોકોમાંથી 1.50 કરોડને જ વેક્સીન અપાઈ છે. આ આંક ઘણો ઓછો છે. વેક્સીનેશનને ઝડપી નહીં બનાવાય તો લોકોના કામના કારણે બહાર નીકળવાથી પણ ત્રીજી લહેર આવી શકે છે. તેઓએ કહ્યું કે ડિસેમ્બરમાં અપાયેલી છૂટમાં લોકોની બેદરકારીના કારણે આ પરિણામ જોવા મળી રહ્યું છે.