મહારાષ્ટ્રની ચલાવવા માટે 3 સત્તા પોતાના સ્તરે કામ કરી રહી છે. તેમાં પહેલા સ્થાને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હશે, બીજા નંબરે અજિત પવાર અને ત્રીજા નંબરે આદિત્ય ઠાકરેનું નામ છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણ વ્યક્તિઓ પર મહારાષ્ટ્રની સરકાર ટકી રહેશે.
32 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ કેબિનેટનો વિસ્તાર
શિવસેનાના 12 વિધાયકોને મળશે મંત્રીમંડળમાં સ્થાન
NCPના 14 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પોતાના પ્રધાનમંડળનો વિસ્તાર કર્યો. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સહિત 35 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા, જેમાં મંત્રીમંડળના 25 અને રાજ્ય મંત્રીના 10 સભ્યોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીયતાવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વરિષ્ઠ નેતા અજિત પવારે ચોથી વખત નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા, અને રેકોર્ડ બનાવ્યો. તેમણે 37 દિવસમાં બીજી વખત પદના શપથ લીધા છે. શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
શપથ ગ્રહણમાં આ વાત હતી ખાસ
શપથવિધિમાં વિશેષ વાત એ છે કે આમાં પુત્રો, ભત્રીજાઓ અને ઘણા નેતાઓના સબંધીઓને પ્રધાન બનાવવામાં આવ્યા છે. આ સાથે ચર્ચા પણ છે કે શું મહારાષ્ટ્ર સરકારનું પાવર સેન્ટર મુખ્યમંત્રી સુધી મર્યાદિત રહેશે કે તેના મૂળ ક્યાંય હશે. નિષ્ણાંતોના મતે મહારાષ્ટ્ર જેવા વિશાળ રાજ્યને ચલાવવા માટે ત્રણ પાવર સેન્ટર પોતાના સ્તરે કામ કરી શકે છે. આમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રથમ સ્થાને અને અજિત પવાર અને આદિત્ય ઠાકરેનું નામ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહેશે.
ઉદ્ધવ ઠાકરેની ભૂમિકા નિર્ણાયક
સૌથી પહેલાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બન્યા. ત્યારથી મહારાષ્ટ્રમાં નવા યુગની શરૂઆત થઈ. જે પરિવાર ક્યારેક સત્તાથી દૂર રહ્યું હતું તેમનો એક દિકરો મહારાષ્ટ્રની સરકારમાં શપથ લઈ ચૂક્યો છે. તેનાથી ઉદ્ધવ ઠાકરેની શક્તિનો અંદાજ સરળતાથી લઈ શકાય છે. તેઓએ સત્તામાં પોતાની ખાસ જગ્યા તો બનાવી છે પણ સાથે જ દિકરાને પણ રાજકારણમાં સેટ કરી ચૂક્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની સંખ્યાને લઈને કહી આ વાત
ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે શરદ પવારે શીખવ્યું છે કે ઓછા સભ્યો સાથે પણ સરકાર કેવી રીતે બની શકે છે. જે સ્પષ્ટ કરે છે કે ભલે ઓછા ધારાસભ્યો હોય પણ સરકાર બનાવી શકાય છે અને તેને ચલાવવાની ક્ષમતા પણ છે. શરદ પવારે એમ પણ કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીના આવનારા નેતા ઉદ્ધવ ઠાકરે હશે. સરકાર બનતાં પહેલાં અઘાડીના ત્રણ દળ- શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં ચર્ચા હતી. ઉદ્ધવની પીઠ પર શરદ પવારનો હાથ સ્પષ્ટ કરે છે કે સરકારના નિર્ણયો 3 પાર્ટી મળીને કરે પણ છેલ્લી હા તો ઉદ્ધવ ઠાકરેની જ હશે.
CMOમાં આદિત્ય ઠાકરે
ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્યને મંત્રી બનાવવામાં આવ્યા. શપથ બાદ આદિત્યએ કહ્યું કે આ જ સમય છે જ્યારે મહારાષ્ટ્રનો વિકાસ કરવાનો છે. સત્યવાદી લોકો સાથે છે, સરકાર સરળતાથી ચાલશે, જનતાને જે વાયદા કર્યા છે તે જ લઈને ચાલીશું. જે વચન આપ્યા છે તે પૂરા કરીશું . ત્રણેય પાર્ટીમાં કોઈ ક્રેડિટ વોર નથી, અવિશ્વાસનો માહોલ નથી, ઉલ્લેખીય છે કે આદિત્ય જાણે છે કે સરકારને સરળતાથી ચલાવવા માટે શું કરવું પડશે.
આદિત્ય એ દરેક કામ સંભાળશે જેની આશા ઉદ્ધવ ઠાકરેને રહેશે
મળતી માહિતી અનુસાર આદિત્ય ઠાકરેએ કામનો પ્રકાર પણ નક્કી કરી દીધો છે. આદિત્યને મુખ્યમંત્રી કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવશે. જેમ કેન્દ્રમાં પીએમઓ મંત્રીઓ છે, તેવી જ રીતે મહારાષ્ટ્રના સીએમઓ મંત્રી અને આદિત્ય ઠાકરે તેમનું પદ સંભાળશે. આવી સ્થિતિમાં આદિત્ય ઠાકરે મુખ્યમંત્રી કાર્યાલયના દરેક કામ પર નજર રાખશે. આદિત્ય ઠાકરે તેનો અમલ કરશે કે મુખ્ય મંત્રીનું કાર્ય કેટલું સરળ છે. તેથી અહીંથી પણ શક્તિનો દરવાજો નિયંત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આદિત્ય એ દરેક કામ સંભાળશે જેની આશા ઉદ્ધવ ઠાકરેને રહેશે.