મહારાષ્ટ્રમાં ચાલેલી લાંબી ખેંચતાણ બાદ મંત્રીઓના વિભાગોની વહેંચણી થઇ ગઇ છે. સૂત્રો મુજબ, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિભાગોની વહેંચણી કરી દીધી છે. આ કડીમાં ડેપ્યૂટી મુખ્યમંત્રી અજિત પવારને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી થઇ
ઉદ્ધવ ઠાકરેએ વિભાગોની વહેંચણી કરી
અજિત પવારને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું
આ ઉપરાંત એનસીપીના અનિલ દેશમુખને ગૃહમંત્રી બનાવાયા છે. તથા શિવસેના નેતા એકનાથ શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળ્યું છે. જ્યારે કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટને મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે. અશોક ચૌહાણને PWD મંત્રી બનાવાયા છે.