મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ -NCPની સરકાર બને તે લગભગ નક્કી છે. સરકાર બનાવવાને લઈને દિલ્હીમાં છેલ્લા 4 દિવસથી રાજકારણ ગરમાયું છે. આજે મુંબઈમાં 3 પક્ષોની બેઠકમાં નિર્ણય ઔપચારિક રીતે આવી શકે છે.
ઉદ્ધવ ઠાકરે હશે મુખ્યમંત્રી, આદિત્યને મળી શકે શિક્ષામંત્રીનું પદ
અજિત પવાર અને થોરાટ બની શકે છે ઉપમુખ્યમંત્રી
મલાઈદાર મંત્રાલય કોંગ્રેસ- NCPના ખાતામાં જઈ શકે છે
સરકાર બનવાને લઈને આવી છે શક્યતાઓ
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કવાયત તેજ થઈ ગઈ છે. શિવસેના અને NCP વચ્ચે સહમતિ બની ગઈ છે ત્યારે આજે શિવસેના, કોંગ્રેસ અને NCPની બેઠક યોજાશે. આ બેઠક સવારે 9 વાગે મુંબઈમાં યોજાવાની છે. બેઠકમાં સરકારની રચના માટે ચર્ચા વિચારણા થશે. સરકાર રચવા માટે 2 ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવી છે. જેમાં શિવસેના અને NCP વચ્ચે અઢી- અઢી વર્ષની ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવી છે. તો બીજી ફોર્મ્યૂલામાં NCP અને કોંગ્રેસને DYCM પદ મળી શકે છે. NCP તરફથી DyCM માટે સુપ્રીયા સુલેનું નામ મુકવામાં આવી શકે છે. શિવસેના સાથે અંતિમ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ આ ત્રણેય પાર્ટીના નેતાઓ શનિવારે રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરશે.
નક્કી થઈ ચૂકી છે સત્તામાં ભાગીદારીની ફોર્મ્યૂલા
મળતી માહિતી અનુસાર ત્રણેય દળોની વચ્ચે સત્તામાં ભાગીદારીની ફોર્મ્યૂલા નક્કી થઈ ચૂકી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હોઈ શકે છે અને કોંગ્રેસ -NCPની તરફથી બાલા સાહેબ થોરાટ તથા અજીત પવારને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. મંત્રિમંડળમાં 45 મંત્રી હશે. જેમાં શિવસેના અને એનસીપીના 15-15 અને કોંગ્રેસના 12 મંત્રી પદ આપવામાં આવશે. નક્કી ફોર્મ્યૂલા અનુસાર મુખ્યમંત્રી શિવસેનાના અને મલાઈદાર મંત્રાલય કોંગ્રેસ-NCPને આધીન રહેશે. અજીત પવારની પાસે ગૃહમંત્રાલય, જયંત પાટિલની પાસે નાણાં મંત્રાલય અને છગન ભુજબલની પાસે પીડબ્લ્યૂડી વિભાગ રહેશે. જ્યારે કોંગ્રેસના થોરાટને મહેસૂલ મંત્રાલય આપવામાં આવશે.
આદિત્ય ઠાકરે બની શકે છે શિક્ષણમંત્રી
રાજનીતિમાં હાલમાં જ પગલાં માંડનારા ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેને શિક્ષણમંત્રી બનાવવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર ત્રણેય દળોમાં ચાર વિધાયકો પર એક મુખ્યમંત્રીની ફોર્મ્યૂલા છે. શિવસેનાને 56 ધારાસભ્યો પર 15, NCPને 54 ધારસભ્યો પર 15 અને કોંગ્રેસને 44 ધારાસભ્યો પર 12 મંત્રી પદ આપવામાં આવ્યા છે. શિવસેનાના સૂત્રોના આધારે ઉદ્ધવ મુખ્યમંત્રી પદને માટે અંતિમ રૂપે તૈયાર નથી. તેઓને મંત્રાલયોના કામકાજનો પ્રત્યક્ષ અનુભવ નથી. કોંગ્રેસ એનસીપીએ નક્કી કરી દીધું છે કે નેતા આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં કામ કરશે નહીં. જેને લઈને આજે ઉદ્ધવ ઠાકરે પોતાના પત્તા ખોલશે.
ટકરાવ ટાળવા માટે બનાવાશે સમન્વય કમિટી
શિવસેના હિન્દુત્વ પક્ષ છે, ત્યારે કોંગ્રેસ-એનસીપી ધર્મનિરપેક્ષતાની તરફેણમાં છે. આવી સ્થિતિમાં, ત્રણેય પક્ષો વૈચારિક તકરારથી બચવા સંકલન સમિતિ અને સુપર સમિતિની રચના કરી છે. સંકલન સમિતિમાં ત્રણેય પક્ષના 12 નેતાઓ હશે જે સરકારનું કામ સંભાળશે. તે જ સમયે, સુપર કમિટી વૈચારિક સંઘર્ષનું સમાધાન શોધશે. સુપર સમિતિમાં સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે હશે. સંકલન સમિતિની બેઠક મુંબઈમાં અને સુપર સમિતિની દિલ્હીમાં થશે.