મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠક મળી. જેમાં એનસીપી લીડર જિતેન્દ્ર અવ્હાદે જણાવ્યું હતું કે બેઠકમાં અજિત પવાર પણ હાજર રહ્યા.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને NCP, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે બેઠક
NCP અને કોંગ્રેસના નેતાઓ બેઠક, પહેલા રદ્દ થયાના હતા સમાચાર
એનસીપી નેતા જિતેન્દ્ર અવ્હાદે કહ્યું કે કેટલી વાતો ગુપ્ત રાખવામાં આવે છે પણ બેઠક ચાલુ છે
મહારાષ્ટ્રમાં હાઇ વોલ્ટેજ રાજકીય ટ્રામા ચાલી રહ્યો છે. સરકાર બનાવવાને લઇને બુધવારે શિવસેના સાથે થયેલ બેઠક બાદ એનસીપી અને કોંગ્રેસ નેતાઓની બેઠક યોજાઇ. આ પહેલા સમાચાર આવ્યા હતા કે કોંગ્રેસ નેતા અશોક ચૌહાણની ઓફિસમાં થનારી આ બેઠક રદ્દ થઇ ગઇ છે પણ એનસીપી લીડર જિતેન્દ્ર અવ્હાદનું નિવેદન આવ્યું છે કે કેટલીક વાતો ગુપ્ત રાખવામાં આવે છે એટલા માટે અજિત પવારે કહ્યું કે બેઠક રદ્દ થઇ ગઇ છે.
પણ હકીકત એ છે કે મીટિંગ હજુ પણ ચાલી રહી છે અને અજિત પવાર બેઠકમાં હાજર રહ્યા છે. જણાવાય રહ્યું છે કે આ મીટિંગમાં કોંગ્રેસ અને એનસીપીના નેતા મહારાષ્ટ્રમાં કૉમન મિનિમમ પ્રોગ્રામ અને શિવસેનાની સાથે સરકારની શરતો પર ચર્ચા કરી રહ્યા છે.
બેઠકમાં આ નેતા હાજર છે
બેઠકમાં એનસીપીની જેમ અજિત પવાર સિવાય જયંત પટેલ, છગન ભુજબલ, ધન્નજય મુંડે અને નવાબ મલિક જ્યારે કોંગ્રેસના બાલાસાહબ થોરાટ, પૃથ્વીરાજ ચૌહાણ, સુશીલ કુમાર શિંદે, અશોક ચૌહાણ, માનિકરાવ ઠાકરે અને વિજય વડેટ્ટીવાર સામેલ છે. આ પહેલા, મહારાષ્ટ્રમાં કોઇ પણ પાર્ટી દ્વારા સરકાર બનાવવાનો દાવો રજૂ ન કરાતા રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું. જોકે, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકાર બનાવવાને લઇને વાતચીત ચાલી રહી છે. બુધવારે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે અંદાજિત 50 મિનિટ સુધી બેઠક ચાલી.