મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારની સવારે મોટી હલચલ મચાવી દીધી છે. આ હલચલની સૌથી વધારે અસર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને અનુભવાઈ હશે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ મહારાષ્ટ્રના ઘટનાક્રમ બાદ NCP પર નિશાન સાધ્યું હતું. મનુ સંઘવીએ પવાર પર નિશાન સાધતાં કહ્યું કે 'પવારજી, તુસ્સી ગ્રેટ હો'
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો બદલાવ
'પવારજી, તુસ્સી ગ્રેટ હો'- અભિષેક મનુ સિંઘવી
કોંગ્રેસ પાર્ટીએ સાધ્યું પવાર પર નિશાન
કોંગ્રેસ પાર્ટીના નેતા અભિષેક મનુ સિંધવીએ પવાર પર નિશાન સાધતાં કહ્યું કે મેં મહારાષ્ટ્રના વિશે વાંચ્યું છે. મેં વિચાર્યું કે આ ફેક ન્યૂઝ છે. પણ પવારજી તુસ્સી ગ્રેટ હો. જો આ સાચું છે તો આ અમેઝિંગ છે. જો કે હું હજુ પણ આ માટે શ્યોર નથી.
Surreal wht I read abt #Maharashtra. Thought it was fake news. Candidly &personally speaking, our tripartite negotiations shd not have gone on for more than 3 days...took too long. Window given was grabbed by fast movers. #pawarji tussi grt ho! Amazing if true, still not sure
ઉલ્લેખનીય છે કે એનસીપીના નેતા અજિત પવારે બીજેપીનો સાથ આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદના ફરીથી એકવાર શપથ લીધા છે. સૂત્રના જણાવ્યા અનુસાર ફક્ત 25-30 ધારાસભ્યોને લઈને અજિત પવાર સરકાર બનાવીને આવ્યા છે. જ્યારે NCP પ્રમુખ શરદ પવારનું કહેવું છે કે અજીત પવારને બીજેપીને સાથ આપવાનો નિર્ણય પાર્ટીનો નથી. પરંતુ તેમનો પોતાનો છે. આ એક દુઃખદ નિર્ણય છે. અમે આ નિર્ણયને સપોર્ટ કરતા નથી.
મહારાષ્ટ્રની જનતાને સ્થિર સરકાર જોઈએ છેઃ ફડણવીસ
શપથ લીધા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમને સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો હતો. પરંતુ શિવસેનાએ અન્ય પાર્ટીઓની સાથે ગઠબંધનનો પ્રયાસ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું હતું. મહારાષ્ટ્રની જનતાને સ્થિર સરકાર જોઈએ છે ન કે કોઈ ખીચડી. શિવસેનાએ જનાદેશનું સીધી રીતે અપમાન કર્યું છે. આ સમયે તેઓએ અજીત પવારનો આભાર માન્યો અને કહ્યું હું તેમનો આભારી છું કે તેઓ મારી સાથે આવ્યા છે. હવે મહારાષ્ટ્રમાં તેમની એક સ્થિર સરકાર રહેશે.