મહારાષ્ટ્રમાં સરકારને લઇને ખેંચતાણ યથાવત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આજે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લીધી. જોકે, આ મુલાકાત દરમિયાન બીજેપીએ સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો નથી. તેમણે માત્ર સરકાર બનાવવામાં વિલંબ વિશે જણાવ્યું. ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાની પાર્ટી ધારાસભ્યોની સાથે બેઠક કરી. આ બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જે પહેલા નક્કી થયું હતું, અમારે તે જ જોઇએ છીએ.
રાજ્યપાલને મળશે બીજેપીના વિધાયક દળના નેતા
બીજેપી મૂકી શકે છે સરકાર બનાવવાનો દાવો
શિવસેના વિધાયકોની સાથે બેઠક કરશે ઉદ્ધવ ઠાકરે
શિવસેનાને સતાવી રહ્યો છે વિધાયકોના તૂટવાનો ડર
અમારી પાસે પોતાનો CM બનાવવા માટે બહુમત
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અમારી પાસે અમારા મુખ્યમંત્રી બનાવવા માટે બહુમત છે. અમારે તે દેખાડવાની જરુર નથી. વિધાનસભામાં અમે બહુમત સાબિત કરીશું. અમારી પાસે વિકલ્પ છે, વિકલ્પો વિના અમે નથી બોલતા. બીજેપી નેતાઓની રાજ્યપાલ સાથે મુલાકાત પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું કે, અમારું વલણ નથી બદલાયું. શિવસેનાના હિતમાં ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે. મુખ્યમંત્રી તો શિવસેનાનો જ હશે.
Sanjay Raut: If you (BJP) have the numbers,form the govt. If you don't have the numbers then admit it. Constitution is for the people of this country,it is not their (BJP's) personal property.We know the constitution well.We'll form CM of Shiv Sena in Maharashtra constitutionally https://t.co/Tw1YL3Ubvl
એમણે કહ્યું કે રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો કર્યા વગર ખાલી હાથ કેમ પાછા આવ્યા. બહુમત માત્ર બીજેપી-શિવસેનાના ગઠબંધનને નથી મળ્યું. પરંતુ ગઠબંધનની શરતોને મળ્યું છે. ગઠબંધન એવી રીતે નથી ચાલતું.
રાજ્યપાલને મળ્યા બીજેપી નેતા
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની સાથે મુલાકાત બાદ બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે જનતાએ બીજેપી- શિવસેનાને બહુમત આપ્યો છે. અમે રાજ્યપાલને સરકાર બનાવવામાં રાહ જોવાનું કહ્યું પરંતુ હવે નિર્ણય કેન્દ્રીય નેતૃત્વમાં લેવાશે.
Maharashtra BJP President, Chandrakant Patil: People of Maharashtra have given mandate to 'Mahayuti' (alliance). There is delay in government formation. Today, we met the Governor to discuss the legal options and political situation in the state. pic.twitter.com/GIPnqnq8Eh
શિવસેનાના વિધાયકોની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે કંઈ વધારે માંગ્યું નથી. જે પહેલાં નક્કી થયું હતું તે જ અમને જોઈએ છે. બીજેપી નેતાઓ સાથે મારી કોઈ સીધી વાત થઈ નથી. અમારી પાસે અનેક વિકલ્પ છે. પરંતુ અમે ઈચ્છતા નથી કે અમે તેની પર વિચાર કરીએ.
શિવસેનાના વિધાયકોની બેઠક થઈ પૂર્ણ
મુંબઈના માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેનાના વિધાયકોની બેઠક પૂર્ણ થઈ છે. વિધાયકોએ કહ્યું કે આગળની રણનીતિ ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે. મુખ્યમંત્રી તો શિવસેનાના જ હશે.
મહારાષ્ટ્રમાં જલ્દી આવશે નિર્ણય
મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઈને નિતિન ગડકરીએ કહ્યું કે નિર્ણય જલ્દી આવશે. દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રમાં બીજેપી - શિવસેનાની સરકાર બનશે. આ કેસમાં RSS અને મોહન ભાગવતનો કોઈ સંબંધ નથી. તેઓએ કહ્યું કે મારા CM બનવાનો સવાલ જ નથી. હું દિલ્હીમાં જ રહીશ.
Union Minister Nitin Gadkari on government formation in #Maharashtra: There will be a decision soon. Government in Maharashtra should be formed under the leadership of Devendra Fadnavis Ji; RSS and Mohan Bhagwat Ji have no connection with this. pic.twitter.com/VX1HyH4yvu
શિવસેનાના વિધાયક માતોશ્રી પહોંચી ચૂક્યા છે. અહીં ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક યોજાશે. આ બેઠક પહેલાં સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે, તમારા પગની નીચે કોઈ જમીન નથી, કમાલ છે કે હજુ પણ તમને વિશ્વાસ નથી. - દુષ્યંતકુમાર.
तुम्हारे पांव के नीचे कोई ज़मीन नहीं
कमाल है कि, फ़िर भी तुम्हें यक़ीन नहीं
મહારાષ્ટ્રમાં સરકારના ગઠબંધનને લઈને સસ્પેન્સ પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત કરશે. આ મુલાકાત નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં યોજાશે.
શિવસેનાનો જ હશે સીએમ- સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અમે દલીલોમાં વિશ્વાસ નથી કરતા. જેની પાસે બહુમતી છે તે સરકાર બનાવશે. મુખ્યમંત્રી શિવસેનાના હશે. મને ક્યારેય કોઈ આકાંક્ષાઓ નહોતી. તેમણે કહ્યું કે આજે માતોશ્રીમાં શિવસેનાના ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે આગળની રણનીતિ સમજાવશે.
Sanjay Raut,Shiv Sena on reports of Shiv Sena shifting its MLAs to a resort: There is no need for us to do this, our MLAs are firm in their resolve and committed to the party. Those who are spreading such rumours should worry about their MLAs first. #Maharashtrapic.twitter.com/PnWTzTLtqW
શિવસેનાના નેતા સંજય રાઉત ગઈકાલે એનસીપી નેતા શરદ પવારને મળ્યા હતા. આ પછી સંજય રાઉત મુંબઈમાં કોંગ્રેસના નેતા હુસેન દલવાઈને પણ મળ્યા. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ કોઈપણ રીતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો છે. આ માટે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો શિવસેના-એનસીપી સરકારની તરફેણમાં છે. તેના બદલે કોંગ્રેસને અધ્યક્ષ પદ જોઈએ છે.
શિવસેનાએ સાધ્યું બીજેપી પર નિશાન
શિવસેનાના ધારાસભ્યોની બેઠક પૂર્વે ભાજપના મુખપત્ર સામનાએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું હતું. ભાજપના સારા સમાચાર હોવાના દાવા પર સામનાએ સવાલ પૂછ્યો છે કે આ સરકાર ક્યારે આવશે અને કોની હશે? શિવસેનાએ લખ્યું છે કે ભાજપના હાલના મંત્રીઓ તેમની સત્તાવાર કાર, ઘોડો, બંગલા જવાથી ચિંતિત છે. શિવસેના વારંવાર ભાજપને પૂછે છે કે 145નો આંકડો ક્યાંથી આવશે.
શિવસેના વિધાયકોની આજે બેઠક
ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના તમામ ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે. શિવસેનાના ધારાસભ્યોને મુંબઈની કોઈપણ ફાઇવ સ્ટાર હોટલમાં રાખવામાં આવી શકે તેવા સમાચાર છે, જેના આધારે આજના સભામાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
शिवसेना पक्षप्रमुख मा. श्री. उद्धव साहेब ठाकरे यांनी आज बीड जिल्ह्यातील परळी येथील गोपीनाथ गड येथे ज्येष्ठ भाजपा नेते स्व. गोपीनाथ मुंडे साहेब यांच्या समाधीचे दर्शन घेतले. यावेळी त्यांनी गोपीनाथ मुंडे साहेब यांच्या समाधीस्थळाला पुष्पहार अर्पण करून उपस्थित समुदायाला अभिवादन केले. pic.twitter.com/CTQV13jEB1