મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ તમામના નિશાને છે.
ક્વોરન્ટાઇન પર ઘેરાયા અનિલ દેશમુખ
ચાર્ટર્ડ ફ્લાઇટ્સથી યાત્રાની ડિટેઇલ આવી સામે
વિવાદ વચ્ચે અનિલ દેશમુખે જાહેર કર્યો વીડિયો
મુંબઈથી લઇને દિલ્હી, ટીવી ડિબેટથી લઇને સંસદ સુધી વિપક્ષ અને સરકાર વચ્ચે પ્રહારો ચાલી રહ્યા છે. આ વચ્ચે ગત દિવસોમાં NCP પ્રમુખ શરદ પવાર દ્વારા કરવામાં આવેલા દાવા પર અલગ જ ચર્ચા શરૂ થઇ ગઇ છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ફેબ્રુઆરીમાં લાંબા સમય સુધી અનિલ દેશમુખ હોસ્પિટલમાં હતા.
હવે કંઇ એવા કાગળ સામે આવ્યા છે, જેમાં એ જણાઇ આવે છે કે આ સમય દરમિયાન અનિલ દેશમુખે એક ચાર્ટર્ડ વિમાનમાં ઉડાન ભરી હતી. આ ડિટેઇલ્સ સામે આવ્યા બાદ અનિલ દેશમુખની સ્પષ્ટતા પણ સામે આવી છે.
અનિલ દેશમુખને લઇને શરૂ થયેલા વિવાદ વચ્ચે ચાર્ટર્ડ વિમાનનું એક ડૉક્યુમેન્ટ સામે આવ્યું છે. આ 15 ફેબ્રુઆરી 2021નું છે, જેમાં મુસાફરોની યાદીમાં અનિલ દેશમુખનું નામ પણ છે. જે એ દર્શાવે છે કે 15 ફેબ્રુઆરીએ અનિલ દેશમુખે નાગપુરમાં મુંબઈ સુધી ચાર્ટર્ડ ફ્લાઇમાં સફર કરી હતી. જેથી તેઓ પોતાના ઘરે મુંબઈમાં ખુદને ક્વોરન્ટીન કરી શકે.
વિવાદ વચ્ચે અનિલ દેશમુખે જાહેર કર્યો વીડિયો
વિપક્ષા દ્વારા સતત ઉઠાવવામાં આવી રહેલા રાજીનામાના સવાલો વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે વધુ એક નિવેદન જાહેર કર્યું છે. ગત દિવસોમાં શરદ પવારના દાવા બાદ અનિલ દેશમુખના હોસ્પિટલની બહાર હોવાને લઇને વિવાદ છેડાયો છે. તેવામાં મંગળવારે અનિલ દેશમુખે નિવેદન જાહેર કરતા કહ્યું કે, ગૃહમંત્રી કોરોના કાળમાં સમગ્ર રાજ્યની સફર કરી રહ્યા હતા, કારણ જવાનોની હિંમત વધારવાનું હતું.
અનિલ દેશમુખે પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમને આ વાતથી દુઃખ પહોંચે છે કે લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. અનિલ દેશમુખે નિવેદન આપ્યું કે ક્વોરન્ટિનના સમયે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં ભાગ લઇ રહ્યા હતા.
જોકે શરદ પવારે ગત દિવસોમાં કહ્યું હતું કે અનિલ દેશમુખ 5થી 15 ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં હતા. પરંતુ ભાજપે દાવો કર્યો કે 15 ફેબ્રુઆરીએ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, સાથે જ આ ડૉક્યુમેન્ટ સામે આવ્યા જેમાં અનિલ દેશમુખના ચાર્ટર્ડ ફ્લાઇટમાં સફરના સબૂત છે.
કયા દાવાને લઇને છેડાયો વિવાદ
જોકે, પરમબીર સિંહના પત્ર બાદ સતત અનિલ દેશમુખના રાજીનામાની માંગ થઇ રહી છે. આ વચ્ચે સોમવારે NCP પ્રમુખ શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમણે અનિલ દેશમુખનો બચાવ કર્યો. આ દરમિયાન શરદ પવારે દાવો કર્યો કે જે સમયે આરોપ લાગી રહ્યા છે, ત્યારે અનિલ દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા. શરદ પવારે દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ 5થી 15 ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં દાખલ હતા, ત્યાર બદા તેમણે ખુદને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા.
પરમબીર દિલ્હીમાં કોને મળ્યા હતા તેની અમને ખબર છેઃ નવાબ મલિક
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ પરમબીરસિંહે આક્ષેપ કર્યા છે.જે મામલે હવે NCP અનિલ દેશમુખના બચાવમાં ઉતરી ગઈ છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે પરમબીરસિંહ દિલ્લીમાં કોને મળ્યા હતા તેની અમને ખબર છે. યોગ્ય સમયે બાબતો જાહેર કરીશું. દેશમુખ પર 100 કરોડની ઉઘરાણીનો ટાર્ગેટ આપવાનો પરમબીરસિંહે આક્ષેપ કર્યો હતો. આ મામલે પરમબીરસિંહે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે.