શિવસેનાએ એક તરફ બળવાખોર ધારાસભ્યો સાથે કડકાઈ સાથે વર્તવાના અણસાર આપી દીધા છે, તો વળી બીજી બાજૂ તેમના મનામણાં પણ ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સરકાર માથે સંકટ
બળવાખોર ધારાસભ્યો ગુવાહટીમાં રોકાયા
ઉદ્ધવ ઠાકરેની પત્નીએ મોર્ચો સંભાળ્યો
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોનો બળવો ખરાખરીના જંગમાં ફેરવાઈ ગયો છે. ધારાસભ્યોના બળવા બાદ મહા વિકાસ અઘાડી અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારના ભવિષ્ય પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. શિવસેનાએ એક તરફ બળવાખોર સાથે કડકાઈ સાથે વર્તવાના અણસાર આપી દીધા છે, તો વળી બીજી બાજૂ તેમના મનામણાં પણ ચાલી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેની પત્નીએ મોર્ચો સંભાળ્યો
બળવાખોરોને મનાવવા માટે શિવસેનાના વરિષ્ઠ નેતા અને ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ફેલ રહ્યા છે. હવે આ પોલિટિકલ ફાઈટમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેએ મોર્ચો સંભાળ્યો છે. રશ્મિ ઠાકરે ખુદ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની પત્નીઓને ફોન ઘુમાવ્યો છે. કહેવાય છે કે, શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોની પત્નીઓને ફોન કરીને તેમની સાથે વાત કરી છે.
બળવાખોર ધારાસભ્યોની પત્નીઓને ફોન ઘુમાવ્યો
રશ્મિ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોની પત્નીઓને પોતાના પતિને મહારાષ્ટ્રના સંકટને લઈને વાત કરવા માટે રાજી કરવાની કોશિશ કરી છે. બીજી બાજૂ ઉદ્ધવ ઠાકરે પણ ધારાસભ્યોના બળવા બાદથી એક્ટિવ મોડમાં આવી ગયા છે. ઉદ્ધવ ઠાકરે પણ અમુક બળવાખોર ધારાસભ્યો સાથે મેસેજ દ્વારા વાત કરી રહ્યા છે. બળવાખોર ધારાસભ્યોનું એક જ રટણ છે કે તેઓ શિવસેના સાથે છે.
બળવાખોરમાંથી અમુક ધારાસભ્યો ઠાકરેના સંપર્કમાં હોવાનો દાવો
બળવાખોર ધારાસભ્યો શિવસેના સાથે હોવાની વાત સતત સામે આવી રહી છે. જેનાથી પાર્ટીની અંદર થોડી ભ્રમની સ્થિતિ બનેલી છે. ઉદ્ધવ ઠાકરે પહેલા પણ અમુક ધારાસભ્યો ગુવાહટીથી મુંબઈ પાછા આવ્યા બાદ સરકારને સમર્થન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, અમુક ધારાસભ્યો અમારા મેસેજનો જવાબ આપી રહ્યા છે.