મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સવારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે સરકારના અમુક મંત્રી અને ધારાસભ્યો ગાયબ થઈ ગયા હતા, જેને લઈને પાર્ટીના નેતા સંજય રાઉતે મોટુ આશ્વાસન આપ્યું છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રના સરકારના અમુક મંત્રીઓ અને ધારાસભ્ય ગાયબ
સૂરતમાં આવીને રોકાયા હોવાની ચર્ચાથી ખળભળાટ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારમાં મોટો બળવો થતો દેખાઈ રહ્યો છે. શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ચૂંટણી બાદ શિવસેનાના સંપર્કમાં નથી. તેના પર શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, ઉદ્ધવ સરકાર પર કોઈ સંકટ નથી. સરકાર માટે કોઈ તોફાન કે ભૂકંપ નહીં આવે. તેમણે એવું પણ કહ્યું છે કે, ભાજપ પહેલા પણ આવો અખતરો કરી ચુકી છે. આ વખતે પણ સફળતા નહીં મળે. સંજય રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારને ડગવા નહીં દઈએ. તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં પાછા આવશે. સંપર્ક થતો નથી એનો અર્થ એવો નથી કે, તેઓ પાર્ટી વિરુદ્ધ છે. અમે લોકો રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ, હાલમાં કંઈ પણ કહેવુ ઉતાવળભર્યુ હશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2022
ગુજરાત પર ઠીકરુ ફોડ્યું
રાજકીય સંકટની વચ્ચે સંજય રાઉત ગુજરાત પર ઠીકરુ ફોડતા કહ્યું છે કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જે થયું, આ બધાને ગુજરાતમાં જ શું કામ રાખવામાં આવે છે, દેશ તો બહું મોટો છે, મેં સાંભળ્યું છે કે સુરતમાં રોકાયેલા છે, અમારો તેમની સાથે સંપર્ક થયો છે. તેમાંથી ઘણા ધારાસભ્યો છે, જે પાછા આવવા માગે છે, પણ તેમને પાછા આવવા દેતા નથી. તેમની ઘેરાબંધી કરેલી છે.આ ઘેરાબંધી ફક્ત ગુજરાતમાં જ થઈ શકે. કારણ કે, ત્યાં સરકાર આવી રીતે કામ કરે છે અને કેન્દ્રની સરકાર આવી રીતે પોતાનું કામ કરાવી લે છે, તે અમને ખબર છે, જેવો મોકો મળશે કે અમારા તમામ ધારાસભ્યો પાછા આવી જશે.કારણ કે આ બધા નિષ્ઠાવાન શિવસૈનિકો છે.
સંજય રાઉતે આ વાતને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, શિવસેનાના તમામ ધારાસભ્યો પાછા આવશે. તેમણે કહ્યું છે કે, મેં સાંભળ્યું છે કે અમારા ધારાસભ્યો ગુજરાતના સૂરતમાં છે અને તેમને જવા દેવામાં આવતા નથી, પણ તેઓ નિશ્ચિતપણે પાછા આવશે, કારણ કે આ તમામ ધારાસભ્યો શિવસેનાને સમર્પિત છે. મને વિશ્વાસ છે કે, અમારા તમામ ધારાસભઅયો પાછા આવશે અને બધું બરાબર થઈ જશે.
Maharashtra | I have heard that our MLAs are in Surat, Gujarat and they are not being allowed to leave. But they will certainly return as all of them are dedicated to Shiv Sena. I trust that all our MLAs will return and everything will be fine: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/zgHIPLy4Kz
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. શિવસેનાના 20 ધારાસભ્યો સૂરત પહોંચતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેના નેતા સંજય રાઉતે પણ આ વાત માની છે કે, તેમના અમુક ધારાસભ્યો નોટ રિચેબલ આવી રહ્યા છે. પણ રાજકીય ધમાસાણ નહીં થાય અને ઉદ્ધવ સરકાર પર કોઈ ખતરો નથી. હકીકતમાં જોઈએ તો, આ ધમાસાણ આજે સવાર શરૂ થયું છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારના અમુક મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ એકનાથ શિદે સાથે 20 ધારાસભ્યો એક સાથે ગાયબ થઈ ગયા હતા.
એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે- સંજય રાઉત
શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.