મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની સરકાર માટે ગુરૂવારનો દિવસ અત્યંત મહત્વનો છે. સંકટનો સામનો કરી રહેલી ઉદ્ધવ સરકાર કાલે બહુમત સાબિત કરશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમને આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
રાજ્યપાલે ફ્લોર ટેસ્ટના આપ્યા આદેશ
ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે રાજ્યપાલે ઉદ્ધવ સરકારને આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, મેં સીએમને પત્ર જાહેર કરીને 30 તારીખે સદનમાં બહુમત સાબિત કરવાનું આહ્વાન કર્યું છે. કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ગુરૂવારે કાર્યવાહીનો વીડિયોગ્રાફી થશે અને તેનું લાઈવ પ્રસારણ પણ થશે.
આપને જણાવી દઈએ કે, ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને અનુરોધ કર્યો છે કે, તે ઉદ્ધવ સરકારને બહુમત સાબિત કરવા માટે કહે. રાજ્યપાલે ભાજપની આ માગનો સ્વિકાર કર્યો છે અને ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા છે.
NCPના ચાર ધારાસભ્યો નહીં કરી શકે વોટ
એક બાજૂ જ્યાં ગુવાહટીમાં અડ્ડો જમાવેલ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની તાકાત મજબૂત થતી જાય છે, શિંદેએ દાવો કર્યો છે કે, તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી બાજૂ ઉદ્ધવ સરકાર ફ્લોર ટેસ્ટ કરે તે પહેલા મુશ્કેલીઓ વધતી જાય છે. હકીકતમાં જોઈએ તો, સરકારમાં શિવસેનાના સહયોગી એનસીપીના ચાર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં
નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, છગન ભુજબલ, અનિલ દેશમુખ અને નવાબ મલિક વિધાનસભામાં વોટિંગ કરી શકશે નહીં. હકીકતમાં જોઈએ તો, અજીત પવાર અને ભુજબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં છે. નવાબ મલિક અલ્પસંખ્યક વિકાસ મંત્રી છે. તો વળી અનિલ દેશમુખ પૂર્વ ગૃહમંત્રી છે. બંને મની લોન્ડ્રીંગના કેસમાં બે અલગ અલગ કેસમાં મુંબઈની એક જેલમાં બંધ છે.