મહારાષ્ટ્રમાં રાતોરાત ફડણવીસની સરકારની રચનામાં જોઇ કોઇ શખ્સે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હોય તો તે છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડે. જેમણે અજીત પવાર માટે NCP ના ધારાસભ્યોને એકજૂટ કર્યા હતા.
અજીત પવારે જ્યારે રાજભવનમાં નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે ધનંજય મુંડે જ હતા, જેમણે ધારાસભ્યોને એકત્રિત કર્યા હતા. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે બુધવારની સાંજ સુધીમાં બહુમત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યા બાદ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ એક પણ એક પત્રકાર પરિષદ યોજીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું.
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ
હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડે ફરી એક વખત એનસીપીની છાવણીમાં જોડાયા હતા, જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ થઈ હતી, જેના પછી ફડણવીસ સરકાર પડી.
અજીત પવારે ભજવી મોટી ભૂમિકા
રાજકીય નિષ્ણાતોના મતે ધનંજય મુંડે એ જ હતા જેમણે શપથ લેતા પહેલા ધારાસભ્યોને એક કર્યા અને તેમને તેમના ઘરે બોલાવ્યા. અહીંથી તમામ ધારાસભ્યો રાજ્યપાલના ઘરે પહોંચ્યા હતા. આપને જણાવી દઇએ કે, ગોપીનાથ મુંડેના અવસાન પછી પુત્રી પંકજા મુંડેને તેમના પિતાનો રાજકીય વારસો મળ્યો, ધનંજય મુંડે એનસીપીમાં જોડાયા. ધનંજય મુંડેને એનસીપીમાં લાવવામાં અને પંકજા સામેની ચૂંટણી જીતવામાં અજિત પવારે મોટી ભૂમિકા ભજવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને અજિત પવારને સાથે લાવવામાં ધનંજયની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી. શુક્રવારે સાંજે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ તેમણે સરકાર બનાવવાની યોજના તૈયાર કરી અને અજિત પવારને સાથ આપ્યો. આ પછી જ્યારે ધનંજય મુંડે ડેમેજ કંટ્રોલ બાદ શરદ પવારની છાવણી પરત ફર્યા ત્યારે મહારાષ્ટ્રમાં પણ ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.
દિલ્હી દરબારમાં યોજાઇ ખાસ બેઠક
ઉલ્લેખનીય છે કે, ,સુપ્રીમ કોર્ટે બે દિવસોની સુનાવણી બાદ પોતાનો નિર્ણય સંભળાવતા બુધવારે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ તમામ રાજકીય પાર્ટીઓમાં હલચલ તેજ થઇ હતી. દિલ્હીમાં પણ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ અધ્યક્ષ ગૃહમંત્રી અમિત શાહ સાથે ખાસ બેઠક યોજી હતી.