મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ક્રાંતિકારી વીર સાવરકરને ભારત રત્ન આપવાના વચનને પોતાના ઘોષણાપત્રમાં જણાવ્યું હતું. જેના પર શિવસેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કામ તો ઘણા સમય પહેલા થઇ જવું જોઇતું હતું. જેને લઇને એમ કહી શકાય કે શિવસેનાએ એક રીતે ભાજપ કરતાં એક પગલું આગળ વધીને સાવરકરને ભારત રત્ન આપવા અંગેની વાત કહી હતી.
શિવસેનાનો સરકાર બનાવવા પ્લાન 'બી' તૈયાર
ભાજપ સાથે સરકાર બનાવવાની અટકળો તેજ
શરદ પવારે શિવસેનાના સાથે સરકાર બનાવવાનો સ્પષ્ટ કર્યો છે ઇન્કાર
ચૂંટણી અગાઉ જે રીતે વીર સાવરકરને ભારત રત્ન મુદ્દા પર બંને પક્ષ એકમત હતા, આમ એક અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે હવે આ મુદ્દાને લઇને એક વાર ફરી બંને નજીક આવી શકે છે. જયારે બીજી તરફ NCP અધ્યક્ષ શરદ પવારે શિવસેના સાથે સરકાર બનાવવાને લઇને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.
આ અગાઉ સોમવારે સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ શરદ પવારે જણાવ્યું હતું કે અમારા વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવા અંગે કોઇ વાતચીત થઇ નથી. જેના કારણે રાજકીય વિશ્લેષકો પણ આશ્ચર્યચક્તિ થઇ ગઇ હતા.
પવારના નિવેદન બાદથી જ શિવસેનાના પ્લાન 'બી' ની ચર્ચા
શરદ પવારના સકારાત્મક સંદેશ ન મળ્યા બાદથી જ શિવસેના તરફથી પ્લાન 'બી' પર કામ શરૂ થઇ ગયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. પ્લાન 'બી' પર કામ એટલે ભાજપ સાથે ફરી દોસ્તી કરી સરકાર બનાવવી. મંગળવારે આ વાતને સમર્થન ત્યારે મળ્યું હતું જ્યારે એક તરફ ભાજપની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું કે સાવરકરને ભારત રત્ન આપવા માટે કોઇની ભલામણની જરૂરીયાત નથી.