મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મહત્વના સમાચાર, NCPએ ગુરુવારે તમામ ધારાસભ્યો, MLC અને સાંસદોને હાજર રહેવા કર્યું ફરમાન
શિવસેનાના વધુ ધારાસભ્યો સુરત પહોંચશે
આજે રાત્રે 6 જેટલા ધારાસભ્યો સુરત પહોંચશે: સૂત્ર
સુરતથી ધારાસભ્યોને ગુવાહાટી મોકલાશે
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર વિરુદ્ધ બળવો કરીને પોતાના અવાજ બુલંદ કરનારા શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ગુવાહટી પહોંચ્યા બાદ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 46 ધારાસભ્યો છે. પણ આ અગાઉ સૂરતની હોટલમાંથી ધારાસભ્યોનો જે ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે, તેમાં તો કુલ 35 ધારાસભ્યો જ દેખાઈ રહ્યા છે. તેની વચ્ચે વધુ એક મહત્વના માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે કે શિવસેનાના વધુ 3 ધારાસભ્યો સુરતની મેરિડિયન હોટેલ સવારે પહોંચ્યા હતા. યોગેશ કદમ, ગોપાલ દલવી,મંજુલા ગાવિત તેમજ અન્ય એક ધારાસભ્યને લઈ એક ચાર્ટર પ્લેને ગુવાહાટીની ઉડાન ભરી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
ત્યારે મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે શિવસેનાના વધુ ધારાસભ્યો સુરત પહોંચશે. આજે રાત્રે 6 જેટલા ધારાસભ્યો સુરત આવવા નીકળી ગયા છે તેવી માહિતી ખાસ સૂત્રો દ્વારા મળી રહી છે. બે દિવસથી ચાલી રહેલા ઘટના ક્રમની જેમ જ સુરત લાવી ધારાસભ્યોને ગુવાહાટી મોકલાશે. આજે સાંજે પણ 4 ધારાસભ્યોને સુરતથી ચાર્ટર પ્લેન દ્વારા ગુવાહાટી મોકલવામાં આવ્યા હતા. જે બાદ વધુ 6 ધારાસભ્યોને લઈ જવાશે આમ શિંદેના 46 ધારાસભ્યોના સમર્થનના દાવાને નકારી શકાય તેમ નથી.
એકનાથ શિંદેનો દાવો 46 MLAનું સમર્થન પણ..
જો કે, સૌથી મોટો સવાલ એ છે કે, બળવાખોર એકનાથ શિંદેની સાથે શિવસેનાના કુલ કેટલા ધારાસભ્યો છે. સૂરતથી ગુવાહટી પહોંચ્યા બાદ શિંદેએ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો અહીં છે. જો કે, મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, શિંદેની સાથે રાતના લગભગ 2 વાગ્યે કુલ 41 ધારાસભ્યો સૂરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમાંથી 34 ધારાસભઅયો શિવસેનાના અને 7 અપક્ષ ધારાસભઅયો છે. જો કે, હવે સૂરતની ફાઈવ સ્ટાર હોટલમાંથી વીડિયો સામે આવ્યો છે. તેમાં એકનાથ શિંદે સાથે 35 ધારાસભ્યો દેખાઈ રહ્યા છે. હવે અન્ય 4 ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચશે જેથી સંખ્યાબળ જોતાં તેમની પાસે 39 ધારાસભ્યોનું સમર્થન છે તે વાત નક્કી છે. વધુ 6 ધારાસભ્યો જશે તેવી વાતો વહેતી થઈ છે.
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશ-સંજય રાઉતનું નિવેદન
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં શિવેસના અને તેના બળવાખોર નેતાના એક પછી એક નિવેદન સામે આવી રહ્યાં છે. હવે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશે અને તેઓ રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું કે જરુર પડે અમે બહુમતી પણ સાબિત કરીશું.
બળવાખોર નેતા એકનાથ શિંદેએ કર્યું લેટેસ્ટ ટ્વિટ
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે પાર્ટી સમક્ષ ફરી વાર એક મોટી શરત મૂકી છે. શિંદેએ આસામની હોટલમાંથી ટ્વિટ કરીને કહ્યું કે શિવસેના અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે કોઈ પણ ભોગે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા અઢી વર્ષમાં મહાવિકાસ અઘાડી સરકારે ફક્ત સાથી પક્ષોને ફાયદો પહોંચાડ્યો છે અને તેને કારણે શિવસૈનિકોને મોટું નુકશાન થયું છે. ઉદ્ધવ ઠાકરેની ઓફર બાદ એકનાથ શિંદેએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવું પડશે.
શિંદેએ ઠાકરે સામે રાખી આ મોટી વાત
(1) છેલ્લા અઢી વર્ષમાં એમવીએ સરકારને માત્ર ઘટક પક્ષોને જ ફાયદો થયો અને શિવસૈનિકોને ભારે નુકસાન થયું.
(2) ઘટક પક્ષો વધુ મજબૂત બની રહ્યા છે, શિવસેનાને રીતસરની ધૂસણી કરવામાં આવી રહી છે.
(3) પક્ષ અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે અકુદરતી મોરચેથી બહાર નીકળવું જરૂરી
(4) મહારાષ્ટ્રના હિતમાં હવે નિર્ણય લેવાની જરૂર છે
ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લોકોને કર્યાં સંબોધિત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવના માધ્યમથી મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે જો એક પણ ધારાસભ્ય તેમને મુખ્યમંત્રી તરીકે જોવા તૈયાર નથી તો તેઓ રાજીનામુ આપી શકે છે.
રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હું રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી, હું કોઇના પર નિર્ભર નથી. ભાજપ મને સતત ખરાબ કહી રહી છે. મુખ્ય પ્રધાન એમ નથી કહેતા કે તે કહેવા યોગ્ય છે. જો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભલે તેઓ રાજીનામું આપી દે, પરંતુ તેઓ પોતાની જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તેમનું કહેવું છે કે મારી જગ્યાએ જો કોઇ શિવસેનાનો મુખ્યમંત્રી બનશે તો મને ખુશી થશે. જે લોકો નારાજ ધારાસભ્યો છે તેમણે આવીને વાત કરવી જોઈએ. હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. આ મારું નાટક નથી... હું તમારી સાથે આવવા માટે તૈયાર છું... કોની પાસે કેટલું છે તેની મને પરવા નથી. જેની પાસે સંખ્યા છે તે જીતે છે.