મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલ 3 લોકોની મોબ લિન્ચિંગની ઘટનાને લઇને રાજ્ય સરકારને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ મોબ લિન્ચિંગમાં મરનાર લોકોમાંથી બે સાધુ હતા, એવામાં આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ થઇ રહી છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે આ મામલમાં સાંપ્રદાયિક એન્ગલ હોવાની વાતથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે આ મામલમાં સાંપ્રદાયિક એન્ગલ હોવાની વાતથી સ્પષ્ટ ઇન્કાર કર્યો
આ મામલામાં પીડિત અને મોટાભાગના આરોપી એક જ ધર્મના લોકો હતા
મહારાષ્ટ્રના પાલઘરમાં 3 લોકોની મોબ લિન્ચિંગ કરી હત્યા કરી દેવાઇ હતી
આ મામલે હવે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે આજે એક ટ્વીટ કર્યું છે. જેમા તેઓએ પાલઘર (Palghar) લિન્ચિંગ ઘટનાના આરોપીઓના નામ લિસ્ટમાં જાહેર કર્યા છે. આ લિસ્ટની સાથે અનિલ દેશમુખે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 'પાલઘરની ઘટનામાં અત્યાર સુધીમાં 101 લોકોની ધરપકડ કરાઇ છે, ખાસ કરીને આ લિસ્ટ તેઓ એ લોકો માટે જાહેર કરી રહ્યા છે, જે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવામાં લાગ્યા છે.'
The list of the 101 arrested in the #Palghar incident. Especially sharing for those who were trying to make this a communal issue.. pic.twitter.com/pfZnuMCd3x
હવે આરોપીઓનું નામ જોઇને જાણવા મળે છે કે પાલઘરની ઘટના બે સમુદાયો સાથે જોડાયેલી નથી અને આ મામલામાં પીડિત અને મોટાભાગના આરોપી એક જ ધર્મના લોકો હતા.
શું હતી ઘટના?
ગત કેટલાક દિવસો પહેલા પાલઘરના આ વિસ્તારમાં બાળક ચોરીની અફવા ફેલાઇ હતી. ગુરુવારની રાત્રે મુંબઇથી બે સાધુ અને તેમના ડ્રાઇવર સૂરત જઇ રહ્યા હતા. પાલઘરના ગણચિંચલે ગામ પાસે ભીડે બાળક ચોર હોવાની આશંકામાં તેમની ગાડી રોકી લીધી હતી અને તેમની માર મારીને હત્યા કરી દેવાઇ હતી. સાધુઓના નામ સુશીલગીરી મહારાજ અને કલ્પવૃક્ષગિરી મહારાજ હતા. પોલીસનું કહેવું છે કે આ આખી ઘટના દરમિયાન તેમની ગાડીને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું અને 2 પોલીસ વાળા પણ ઘાયલ થઇ ગયા છે. પોલીસે કાર્યવાહી કરતા 101 લોકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે વિસ્તારના 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.