ડીઆઈજીએ જણાવ્યું હતું કે ગઢચિરોલી ના ભામરાગઢ તાલુકાના કોપરશીના જંગલોમાં છેલ્લા 48 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે અને જ્યારે ટીમ છાવણીમાં પહોંચશે ત્યારે વિગતો મળશે.
શુક્રવારે મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ નજીક ગઢચિરોલી પોલીસના સી -60 કમાન્ડો યુનિટની આગેવાની હેઠળના અભિયાનમાં નક્સલવાદીઓની હથિયાર મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ થયો. ગઢચિરોલી રેન્જના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, સંદીપ પાટિલે કહ્યું કે છત્તીસગઢની સરહદની આસપાસ પાંચ કિલોમીટરના વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં એક સૈનિક ઘાયલ થયો છે.
એક હથિયાર ઉત્પાદન યુનિટનો નાશ કરાયો
તેમણે કહ્યું કે પોલીસ ટીમને મદદ કરવા માટે એક હેલિકોપ્ટર રવાના કરાયું છે. તેમણે કહ્યું કે માઓવાદીઓના હથિયાર ઉત્પાદક યુનિટને પકડી પાડવામાં આવ્યું છે. મહટાવનું છે કે મહારાષ્ટ્રના ગઢચિરોલી માં નક્સલવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યાના સમાચાર હતા. નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર લગભગ 12 કલાક ચાલ્યું. પોલીસ પાર્ટી ઉપર સેંકડો નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે 270 પોલીસ જવાન સ્થળ પર રવાના થયા હતા. આ માટે એરફોર્સની મદદ પણ લેવામાં આવી હતી.
સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન ઘાયલ થયાની માહિતી મળી છે. વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વધારાના કમાન્ડો રવાના કરાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સશસ્ત્ર નક્સલવાદીઓના વિશાળ જૂથે સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો.મહારાષ્ટ્ર સરહદ પર નક્સલીઓ અને સી 60 કમાન્ડો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જો સૂત્રોની વાત માનીએ તો, સેંકડો નક્સલીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાર્ટી પહાડી પર હતી અને નક્સલવાદીઓએ તે વિસ્તારને તળેટીથી ઘેરી લઈને દનાદન ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
એક પોલીસ જવાન ઘાયલ: દેશમુખ
આ અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે માહિતી આપી હતી કે ગઢચિરોલી એ નક્સલવાદી પ્રવૃત્તિઓથી પ્રભાવિત જિલ્લો છે. પોલીસે અબુજમદમાં ગેરકાયદેસર શસ્ત્રો બનાવવાની ફેક્ટરીમાં દરોડા પાડીને નાશ કર્યો હતો.તેમણે કહ્યું કે ગઢચિરોલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તેમાં અમારા 70 અધિકારીઓ શામેલ છે. ઓપરેશન 48 કલાક સુધી ચાલ્યું અને પૂર્ણ થયું. એક પોલીસ જવાન ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.