4 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું મનાઈ રહ્યું છે
પોલીસના વાહનનોને નિશાન બનાવવામાં આવ્યા હતા
ગુરુદ્વારાના ગેટો પર તાળા લગાવી દેવામાં આવ્યા
પોલીસના વાહનનોને નિશાન બનાવવામાં આવ્યા હતા
મહારાષ્ટ્રના નાંદેડમાં હોલા મોહલ્લા રોકવું પોલીસને ભારે પડ્યુ. આક્રમણકારી ભીડએ પોલીસની ટીમ પર હુમલો કરી દીધો. આ દરમિયાન પોલીસના વાહનનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે વધારાના પોલીસદળની સાથે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ગુરુદ્વારાના ગેટો પર તાળા લગાવી દેવામાં આવ્યા
મહારાષ્ટ્રના નાંદેડમાં સચખંડ હજૂર સાહિબ ગુરુદ્વારામાં હોલા મોહલ્લા તથા હોલીના ઉપલક્ષ્યમાં પ્રશાસન તરફથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં હોલા મોહલ્લાનું આયોદન કોરોનાની ગાઈડનું પાલન કરતા મનાવવાની સલાહ આપવામાં આવી. મોટાભાગની ભીડ જમા ન થવી જોઈએ. એટલા માટે ગુરુદ્વારાના ગેટો પર તાળા લગાવી દેવામાં આવ્યા. પરંતુ કેટલાક લોકોને આ મંજૂર નહોતુ.
4 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું મનાઈ રહ્યું છે
મનાઈ રહ્યું છે કે બપોર સુધી ગુરુદ્વારામાં તમામ ધાર્મિક અનુષ્ઠાન તથા હોળી શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવી. પરંતુ હોલા મોહલ્લા પ્રતીકાત્મકત રુપે કાઢતા સમયે ભારે ભીડ ગુરુદ્વારા પરિસરમાં એકક્ષિત થઈ ગઈ. કેટલાક લોકો ગુરુદ્વારાના ગેટના તાળા તોડી નાંખ્યા જેના કારણે સરઘસ રસ્તા પર આવી ગયું. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. આ દરમિયાન ભીડે પોલીસ પર હુમલો કર્યો. મનાઈ રહ્યું છે કે ભીડે પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓને લીધે તેઓ બચી ગયા. જો કે 4 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું મનાઈ રહ્યું છે.