બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:35 AM, 13 July 2024
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીએ જોરદાર પ્રદર્શન કરીને ભાજપની આગેવાની હેઠળના NDAને મુશ્કેલીમાં મૂક્યું હોવા છતાં મહારાષ્ટ્ર વિધાનસભામાં શુક્રવારે યોજાયેલી MLC ચૂંટણીમાં NDAએ જંગી જીત મેળવી છે. મહારાષ્ટ્રમાં એનડીએના મહાયુતિ ગઠબંધનને 11માંથી 9 બેઠકો મળી છે, જ્યારે INDIA ગઠબંધનના ત્રણમાંથી માત્ર 2 ઉમેદવારો જીતી શક્યા છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે કોંગ્રેસના 7 થી 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે.
ADVERTISEMENT
ભાજપને 5 બેઠકો પર મળી જીત
જણાવી દઈએ કે 11 સીટો પર થયેલા વોટિંગ બાદ જ્યારે વોટની ગણતરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે ભાજપે 5 સીટો પર જીત મેળવી છે, શિવસેના શિંદે અને એનસીપી અજિત પવારના જૂથને 2-2 સીટો પર જીત મળી છે. જ્યારે INDIA બ્લોકમાંથી શિવસેના (UBT) અને કોંગ્રેસે એક-એક સીટ જીતી છે. શરદ પવારના સમર્થનમાં ઉભેલા જયંત પાટીલ ચૂંટણી હારી ગયા છે. વિધાન પરિષદની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને 23 ધારાસભ્યોના મતની જરૂર હતી. તેમાં ભાજપના 103, શિવસેના (શિંદે જૂથ) ના 38, NCP (અજિત જૂથ) ના 42, કોંગ્રેસના 37, શિવસેના (UBT) ના 15 અને NCP (શરદ પવાર) ના 10 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
MVAને એક સીટ પર મળી હાર
આમ, જ્યારે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો આવ્યા છે, ત્યારે NDAની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને 11 બેઠકોમાંથી તમામ 9 ઉમેદવારોની જીત બાદ ફરી એક વાર સ્થિતિને પોતાના પક્ષમાં કરી લીધી છે. બીજી તરફ એમવીએ ત્રણમાંથી એક બેઠક ગુમાવી છે. ભાજપના પંકજા મુંડે સહિત મહાયુતિના તમામ 9 ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસમાંથી પ્રજ્ઞા સાતવ પણ જીતી ગયા છે. બીજી તરફ, UBT સેના લીડ મેળવવામાં સફળ રહી અને શરદ પવાર દ્વારા સમર્થિત ઉમેદવારનો પરાજય થયો.
ADVERTISEMENT
જયંત પાટીલ હાર્યા
છેલ્લી સીટ માટે બીજા રાઉન્ડમાં, ઉદ્ધવ ઠાકરે જૂથના મિલિંદ નાર્વેકર અને શરદ પવાર જૂથ દ્વારા સમર્થિત પીપલ્સ વોટર્સ એન્ડ પીઝન્ટ્સ પાર્ટી (PWP) ના જયંત પાટીલ વચ્ચે ટક્કર થઈ. જેમાં મિલિંદ નાર્વેકરે જયંત પાટીલને હરાવીને ચૂંટણી જીતી ગયા. આ 11 વિધાન પરિષદની બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં હતા.
ADVERTISEMENT
શું છે મતોનું ગણિત?
સવાલ એ છે કે શું કોંગ્રેસના મતોનું વિભાજન થયું? અત્યાર સુધીના જાહેર થયેલા મતના આંકડાઓ પર નજર કરીએ તો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના સાત મત વિભાજિત થયા છે. હવે મતદાનના ગણિત પર નજર કરીએ તો ચિત્ર એવું છે કે કોંગ્રેસ પાસે કુલ 37 ધારાસભ્યો છે. તેમાંથી 25 ધારાસભ્યોએ તેમની પ્રથમ પસંદગીના મત પ્રજ્ઞા સાતવને આપ્યા. એટલે કે કોંગ્રેસ પાસે 12 વધારાના ફર્સ્ટ પ્રેફરન્સ વોટ બાકી હતા. બીજી તરફ મિલિંદ નાર્વેકરને 22 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળ્યા છે. જેમાં ઠાકરે ગ્રુપના 15 વોટ છે. બાકીના સાત મત કોંગ્રેસ ઉમેરે તો પણ પાંચ મતનો પ્રશ્ન રહસ્ય જ રહે છે. જયંત પાટીલને પ્રથમ પસંદગીના 12 મત મળ્યા હતા. આ 12 મત શરદ પવાર જૂથના છે.
ADVERTISEMENT
પ્રથમ પસંદગી માટે કેટલા મતો?
આઠ ઉમેદવારોએ પ્રથમ પસંદગીના મત મેળવીને ચૂંટણી જીતી છે. બાકીના ઉમેદવારોએ મતોની બીજી પસંદગી પર આધાર રાખવો પડશે. જીતવા માટે ઓછામાં ઓછા 23 પ્રથમ પસંદગીના મતોની જરૂર હતી. સમાન અથવા વધુ મત મેળવનાર ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે.
ADVERTISEMENT
જીતેલા ઉમેદવારો
ભાજપમાંથી પંકજા મુંડેને 26 મત મળ્યા, પરિણય ફુકેને 26 મત મળ્યા, અમિત ગોરખેને 26 મત મળ્યા, યોગેશ ટીલેકરને 26 મત મળ્યા, જયારે બીજા રાઉન્ડમાં સદાભાઉ ખોતને 14 વોટ મળ્યા. જયારે NCP (અજિત પવાર જૂથ)ના શિવાજી રાવે ગરજેને 24 મત મળ્યા, રાજેશ વિટ્ટેકરને 23 મત મળ્યા, તો શિવસેના (શિંદે જૂથ)ના કૃપાલ તુમાનેને 24 મત મળ્યા, ભાવના ગવલીને 24 મત મળ્યા, કોંગ્રેસમાંથી પ્રજ્ઞા સાતવને 25 મત મળ્યા. તો બીજી તરફ શિવસેના (UBT ગ્રુપ)ના મિલિંદ નાર્વેકરને 22 મત મળ્યા. જયારે PWP (શરદ જૂથનું સમર્થક)ના જયંત પાટીલને 12 મત મળ્યા, જેઓ હારી ગયા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના MLC ઇલેક્શનમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, NDAએ મારી બાજી
એમએલસી ચૂંટણીમાં કેટલીક ખાસ બાબતો સામે આવી
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.