દેશમાં હાલમાં કોરોના સંક્રમણની નવી લહેર ચાલી રહી છે, ત્યારે આજે પણ મહારાષ્ટ્રમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં લદાઈ શકે છે લોકડાઉન
ઉદ્ધવ સરકાર કાલે લઈ શકે છે નિર્ણય
આજની બેઠકમાં કોવિડ ટાસ્ક ફોર્સની સાથે થઈ ચર્ચા
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 63,294 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, 349 દર્દીઓના મોત નીપજયાં છે અને રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 34,07,245 પર પહોંચી ગઈ છે. કુલ 27,82,161 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 57,987 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં હાલમાં 5,65,587 એક્ટિવ કેસ છે.
We've asked COVID19 Task Force to study why cases are increasing only in Maharashtra and not in states where elections are being held. Many ministers are campaigning with mass gatherings there but there is no surge in COVID cases there: Maharashtra Minister Aslam Sheikh pic.twitter.com/7ye7Oj45bT
મુંબઈમાં કોરોનાના 9989 નવા કેસ નોંધાયા છે અને 24 કલાકમાં અહીં 58 મોત નીપજ્યાં છે. કુલ કેસ વધીને 5,20,214 થઈ ગયા છે. હાલમાં 92,464 સક્રિય કેસ છે. 4,14,641 દર્દીઓ સાજા થયા છે. મૃત્યુઆંક 12,017 પર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 5939 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 24 લોકોનાં મોત થયાં છે.
મહારાષ્ટ્રના મંત્રીએ આપ્યું નિવેદન
છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર સતત કોરોના કેસની સંખ્યામાં સૌથી ટોચમાં બની રહેલું છે, સાથે જ કોરોનાના કારણે મહારાષ્ટ્ર લોકડાઉન તરફ પણ વધી રહ્યું છે, ત્યારે ઉદ્ધવ સરકારના મંત્રી અસલમ શેખે કોરોનાના વધતા જતા કેસોને લઈને ચૂંટણી વાળા અન્ય રાજ્યોને લઈને ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો છે. અસલમ શેખે રવિવારે કહ્યું કે અમે કોવિડ -19 ટાસ્ક ફોર્સને તપાસ માટે કહ્યું છે કે હાલમાં મહારાષ્ટ્રમાં કેમ કેસો વધી રહ્યા છે, જ્યારે કે જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યાં નહીં.
મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વખતે ઘણા મંત્રીઓ ત્યાં ચૂંટણી સભાઓ યોજતા હોય છે, પરંતુ કોરોના સંક્રમણના મામલે ત્યાં હજુ સુધી કોઈ તેજી જોવા મળી નથી. જ્યારેકે ત્યાંની પરિસ્થિતિ અનુસાર ચૂંટણીલક્ષી રાજ્યોમાંથી કોરોનાના વધુ કેસો હોવા જોઈએ.
મહારાષ્ટ્રમાં કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન જરૂરી છે
બીજી તરફ, મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા ચેપને રોકવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કોરોના ટાસ્ક ફોર્સ સાથે વિશેષ બેઠક યોજી હતી. ટાસ્ક ફોર્સે રાજ્યમાં કોરોના ચેઇન તોડવા માટે 15 દિવસના કડક લોકડાઉનની હિમાયત કરી હતી, જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ 8 દિવસના લોકડાઉનની વાત કહી રહ્યા હતા.
ટાસ્ક ફોર્સ બેઠક બે કલાક સુધી ચાલી હતી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના ટાસ્ક ફોર્સ સાથે બે કલાકની બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં લોકડાઉન અને કડક નિયમોના અમલ અંગે સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગની શરૂઆતમાં, ટાસ્ક ફોર્સે 14 દિવસના લોકડાઉન સંબંધિત તેની ભૂમિકા નિભાવી હતી. કહેવામાં આવ્યું હતું કે સીએમ ઉદ્ધવ ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે અંતિમ નિર્ણય લેશે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં લોકડાઉનની જાહેરાત કેબિનેટની બેઠક બાદ થઈ શકે છે.
8 અથવા 15 દિવસના લોકડાઉનની ભલામણ
ટાસ્ક ફોર્સે કહ્યું કે આ લોકડાઉન એકદમ સખત હશે. રાજ્યને કોરોનાથી મૃત્યુ દર ઘટાડવા માટે લોકડાઉનની જરૂર છે. ટાસ્ક ફોર્સ મીટિંગમાં, 3 સભ્યોએ 8 દિવસની લોકડાઉનની હિમાયત કરી હતી, જ્યારે ત્રણ સભ્યોએ 14 દિવસની લોકડાઉન માટે કહ્યું હતું. નિષ્ણાતો માને છે કે લૉકડાઉન કર્યા વિના કોરોના સંક્રમણને હાલમાં કાબૂમાં નહિ લઈ શકાય, આ મુદ્દે મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે આવતી કાલે નિર્ણય લઈ શકે છે.