મહારાષ્ટ્રમાં ચૂંટણી પછી બદલાયેલી રાજકીય સ્થિતિ પછી અનેક ઉલટફેર થયા છે. મુખ્યમંત્રી શિવસેનાના બન્યા છે. પરંતુ શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની એકછત્ર શક્તિ છિનવાઈ ગઈ છે. જે માતોશ્રીમાં પહેલા દરેક રાજકીય પાર્ટીઓના નેતાઓ સલામ ઠોકતા હતા. તે માતોશ્રીએ હવે સત્તા માટે નવી ભાગીદારીની સાથે પોતાની મહત્વતા વહેંચવી પડશે.
માતોશ્રીનો પોલિટિકલ પાવરના મામલે એકછત્ર અધિકાર હતો
રાજનીતિક ગોટિયો સેટ કરવા માટે માતોશ્રીથી બહાર નિકળવું પડ્યું
મહારાષ્ટ્રમાં માતોશ્રીની સાથે સિલ્વર ઓક પણ પોલિટિકલ હબ બનશે
મુંબઈમાં પોલિટિકલ પાવરના આ નવા ભાગીદારને મહત્વ આપવું પડશે
માતોશ્રી એક સમયે મહારાષ્ટ્રની રાજનીતિ પાવરનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણવામાં આવતું હતું. એવું કહેવામાં આવે કે સાઉથ મુંબઈમાં માતોશ્રીનો પોલિટિકલ પાવરના મામલે એકછત્ર અધિકાર હતો. તે ખોટું નથી પરંતુ હવે એવું નથી. ઠાકરે નિવાસે હવે શરદ પવારના નેપિયન સી રોડ સ્થિત આવાસ સિલ્વર ઓક સાથે પોતાની શક્તિઓ વહેંચવી પડશે. પ્રદેશની નવી સરકારમાં શરદ પવારની NCPની મહત્વની ભૂમિકા છે. તેથી ઉદ્ધવ ઠાકરે સિલ્વર ઓકને હલકામાં લેવાની ભૂલ નહીં કરે. સરકાર ચલાવવા માટે પોતાના દરેક નિર્ણયોમાં તેમણે સાઉથ મુંબઈમાં પોલિટિકલ પાવરના આ નવા ભાગીદારને મહત્વ આપવું જ પડશે.
પ્રદેશની રાજનીતિના અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં માતોશ્રીએ મહત્વની ભૂમિકા નિભાવી
મહત્વનું છે કે શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના સમયમાં માતોશ્રી પ્રદેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ હસ્તક્ષેપ રાખતું હતું. લાંબા સમય સુધી પ્રદેશની રાજનીતિના અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં માતોશ્રીએ મહત્વની ભૂમિકા નિભાવી છે. જો કે વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણી પછી પરિસ્થિતિઓમાં ઘણો બદલાવ આવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થવાનું સપનું જોઈ રહેલા ઉદ્ધવ ઠાકરેએ પોતાની રાજનીતિક ગોટિયો સેટ કરવા માટે માતોશ્રીથી બહાર નિકળવું પડ્યું. આ બાલાસાહેબની પરંપરાથી પ્રસ્થાન ઘટના છે. ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધનના નેતાઓને મનાવવા માટે અનેક વખત પરંપરા સાથે સમાધાન કરવું પડ્યું. હવે મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે માલાબાર હિલ્સ સ્થિત મુખ્યમંત્રી આવાસ વર્ષા અને માતોશ્રી બન્ને જગ્યા પર પોતાનો સમય વિભાજિત કરવો પડશે. આ સાથે ઠાકરે હવે દરેક વ્યક્તિને પોતાના આવાસ પર મળવાની આશા નહીં કરી શકે.
આપને જણાવી દઈએ કે બાંદ્રામાં સ્થિત બાલાસાહેબ ઠાકરેના આવાસ પર ભાજપના સંસ્થાપક નેતા લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ, અરુણ જેટલી, પ્રમોદ મહાજન અને વિલાસરાવ દેશમુખ જેવી રાજકીય હસ્તીઓ મહેમાન બની ચુકી છે. આ સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની પવાર સાથે માતોશ્રી જવાની ઘટના કોઈ ભૂલી શકે છે ? વર્ષ 2012ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મુખર્જી શિવસેનાનું સમર્થન માંગવા ઠાકરેને મળવા માટે પહોંચ્યા હતા. આ બધી એવી ઘટનાઓ હતી કે મહારાષ્ટ્રની રાજનીતિમાં માતોશ્રીનો એક્કો હતો. પરંતુ હવે મહારાષ્ટ્રમાં માતોશ્રીની સાથે સિલ્વર ઓક પણ પોલિટિકલ હબ બનશે. જ્યાંથી મહારાષ્ટ્રની રાજનીતિના ચોકઠા ગોઠવાશે.