ઝારખંડમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીની મતગણતરીને લઇને સામે આવી રહેલા સંકેત મુજબ ભાજપ અહીં સત્તા ગુમાવી શકે છે. વલણ મુજબ કોંગ્રેસ-JMM અને આરજેડી ગઠબંધનને 40ની આસપાસ તેમજ ભાજપને 30ની આસપાસ બેઠક મળી શકે છે.
ઝારખંડમાં રાજ્યપાલની રહશે મહત્વની ભૂમિકા
સૌથી મોટા પક્ષને કે મોટા ગઠબંધનને સરકાર રચવા આપશે નિમંત્રણ?
81 બેઠકવાળી ઝારખંડ વિધાનસભામાં બહુમતિ માટે 41 બેઠક જરૂરી
ઝારખંડ વિકાસ મોરચાને 3 તેમજ અન્યને 5 બેઠક મળી શકે છે. જેને લઇને હાલમાં તો એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ-JMM ગઠબંધનને ભલે બહુમતિ મળતી જોવા મળતી હોયપરંતુ રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી શકે છે.
જો કે આ જોતા સવાલ એ થાય છે કે રાજ્યપાલ સરકાર બનાવા માટે કોને પહેલા બોલાવશે? સૌથી મોટા પક્ષને કે સૌથી મોટા ગઠબંધનને? જો કે એ રાજ્યપાલ પોતે નક્કી કરતાં હોય છે. 81 બેઠકવાળી ઝારખંડ વિધાનસભામાં બહુમતિ માટે 41 બેઠક જરૂરી છે.
મુખ્યમંત્રી રઘુબર દાસ પોતે જમશેદપૂરની પૂર્વી બેઠક પરથી બળવાખોર નેતા સરયૂ રાયથી પાછળ ચાલી રહ્યા હતા. જો કે તેમ છતા રઘુવીર દાસે પ્રાથમિક વલણમાં પ્રતિક્રિયા આપવાની મનાઇ કરી હતી.
થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું કે કેવી રીતે વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યપાલની ભૂમિકા મહત્વની રહી હતી. જો કે મહારાષ્ટ્રની સરખામણીએ ઝારખંડમાં સ્થિતિ અલગ છે. મહારાષ્ટ્રમાં પરીણામ બાદ CM પદને લઇને ભાજપ-શિવસેનાની વચ્ચે વિવાદ છેડ્યો હતો.