કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને એક પત્ર લખીને એવી ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ફેલાઈ છે.
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને લખ્યો પત્ર
એક્ટિવ કેસોને ટ્રેક કરવા પર, ટેસ્ટિંગ કરવાનું કરાયુ સૂચન
કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીને વધારે અસરકારક રીતે લાગુ પાડવાની જરુર
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટેને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે કોરોના ટેસ્ટિંગ અને તેની પર દેખરેખ રાખવાની તાતી જરુર છે.
અશોક ભુષણે કહ્યું કે રાજ્યના અધિકારીઓ એક્ટિવ કેસોને ટ્રેક કરવા પર, ટેસ્ટિંગ કરવા પર તથા આઈસોલેશન વગેરે પર પૂરતું ધ્યાન આપતા નથી.
મહારાષ્ટ્રમાં દરેક એક્ટિવ દર્દીમાંથી 20 થી 30 સંપર્કની શોધખોળ કરવાની જરુર
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં દરેક એક્ટિવ દર્દીમાંથી 20 થી 30 સંપર્કની શોધખોળ કરવાની જરુર છે. તેમણે કહ્યું કે રાજ્યના જુદાજુદા જિલ્લામાં લાગુ પાડેલા નાઈટ કર્ફ્યુ અને વીકેંડ લોકડાઉન કારગર નીવડ્યાં નથી તેથી કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીને વધારે અસરકારક રીતે લાગુ પાડવાની જરુર છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થતા ઉદ્ધવ સરકારે તમામ સિનેમાઘરો, રેસ્ટોરન્ટ અને હોટલ માટે નવા પ્રતિબંધો જારી કર્યાં છે.
ઉદ્ધવ સરકારની નવી ગાઈડલાઈન્સ અનુસાર, તમામ સિનેમાઘરો, રેસ્ટોરન્ટ અને હોટલોને 50 ટકા ક્ષમતા સુધી જ લોકોને રાખવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત રાજ્યના તમામ મોલ્સમાં લોકો માટે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ફરજિયાત બનાવ્યું છે.
નવા પ્રતિબંધો
- માસ્ક વગર એન્ટ્રી નહીં
- તમામ સિનેમાઘરમાં ફક્ત 50 ટકા લોકોને મંજૂરી
- તાપમાન માપવાનું ડિવાઈસ રાખવું પડશે, જેમને તાવ હોય તેવા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ
- અલગ અલગ જગ્યાએ સેનિટાઈઝર રાખવાની વ્યવસ્થા
- સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ચેક કરવા માટે લોકોને રાખવા પડશે.